Site icon News Continuous Bureau | Mumbai

હાશ!! આખરે મહારાષ્ટ્રના આ જાણીતા પર્યટન સ્થળના દરવાજા પર્યટકો માટે ફરી ખુલ્લા મુકાયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

શનિવાર.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનના કેસમાં આવેલા ઉછાળાને પગલે મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધો લાદી દીધા હતા, જેમાં મહારાષ્ટ્રના મોટાભાગના પર્યટન સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે પર્યટકોના માનીતા મહાબળેશ્વર અને પંચગીનીને ફરી પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવવાના છે. જોકે પર્યટકોએ કોરોનાને લગતા તમામ પ્રતિબંધોની પાલન કરવાનું રહેશે.

મહાબળેશ્વરના પ્રખ્યાત વેણ્ણાલેક, આર્થરસીટ અને ટેબલલેન્ડને બાદ કરતા મહાબળેશ્વર અને પંચગીનીના તમામ સ્થળો પર્યટકો માટે ફરી ખોલવામાં આવી રહ્યા છે. જોકે પર્યટકોએ કોરોનાને લગતા તમામ નિયમ અને શરતોનું પાલન કરવાનું રહેશે એવું જિલ્લાઅધિકારી શેખર સિંહે જાહેર કર્યું હતું.

દિલ્હીમાં વીકએન્ડ કરફ્યુ યથાવત રહેશે, કેજરીવાલ સરકારની આ ભલામણને ઉપરાજ્યપાલે ફગાવી; જાણો વિગતે 

કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે લાદેલા પ્રતિબંધને કારણે મહાબળેશ્ર્વર અને પંચગનીને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. તેને કારણે સ્થાનિક નાગરિકોની રોજગારીને મોટા પ્રમાણમાં અસર થઈ રહી હતી. તેથી સ્થાનિક વ્યવસાયિકો અને નાગરિકોએ મહાબળેશ્ર્વરના પર્યટન સ્થળ ફરી ખોલવાની માગણી કરી હતી. ભારે ચર્ચા બાદ સરકારે અમુક શરતોને આધારે પર્યટન સ્થળો ફરી ખોલવાની મંજૂરી આપી હતી.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version