Site icon

Maharashtra Assembly : ઉદ્ધવ ઠાકરે બાદ હવે દેવેન્દ્ર ફડણવીસ આદિત્ય ઠાકરેને મળ્યા, રાજકીય ગલિયારો માં શરૂ થયું અટકળોનો દોર..

Maharashtra Assembly : લિફ્ટમાં દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યને મળ્યા હતા. પછી બંને હસતા મુખે બહાર આવ્યા. આ પછી તેઓ વિધાન ભવનની લોબીમાં વાત કરતા પણ જોવા મળ્યા હતા. જોકે નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા વચ્ચેની આ બેઠક અંગે બંને પક્ષોએ કંઈ કહ્યું નથી.

Maharashtra Assembly monsoon Session Devendra Fadnavis and Aditya Thackeray meet in Vidhan Bhavan lobby

Maharashtra Assembly monsoon Session Devendra Fadnavis and Aditya Thackeray meet in Vidhan Bhavan lobby

News Continuous Bureau | Mumbai 

Maharashtra Assembly : શું ભાજપ અને ઉદ્ધવ ઠાકરે સેના વચ્ચેના સંબંધો સુધરવા લાગ્યા છે? હાલમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આ દરમિયાન જે ઘટનાઓ જોવા મળી રહી છે તે આવી અટકળોને વેગ આપી રહી છે. ગયા અઠવાડિયે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે લિફ્ટની બહાર મળ્યા હતા. બંને સારી રીતે મળ્યા અને પછી લિફ્ટમાં વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. બંને નેતાઓ હસતા મુખે ગૃહમાં પહોંચ્યા હતા અને પછી જ્યારે ઉદ્ધવ ઠાકરેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મજાકમાં કહ્યું કે આ એક ગુપ્ત બેઠક હતી. તેમણે તેમના ભાષણમાં ભાજપની ટીકા કરી ન હતી અને  વ્યંગ્ય કરતા કહ્યું હતું કે ભવિષ્યમાં અમે લિફ્ટમાં જ ગુપ્ત બેઠકો કરીશું.

Join Our WhatsApp Community

Maharashtra Assembly : લિફ્ટમાં દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યને મળ્યા 

 હવે ફરી એકવાર આવી જ એક ઘટના બની છે. લિફ્ટમાં દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યને મળ્યા હતા. પછી બંને હસતા મુખે બહાર આવ્યા. આ પછી તેઓ વિધાન ભવનની લોબીમાં વાત કરતા પણ જોવા મળ્યા હતા. જોકે નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા વચ્ચેની આ બેઠક અંગે બંને પક્ષોએ કંઈ કહ્યું નથી. પક્ષના સૂત્રોનું કહેવું છે કે, બેઠક બાદ શુભેચ્છાઓ મળી તે માત્ર ઔપચારિક હતું. આમાંથી કોઈ અર્થ કાઢી શકાય નહીં. તેમ છતાં રાજકારણમાં અટકળો ચાલી રહી છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્ધવ ઠાકરે ભાજપને લઈને એટલા આક્રમક નથી. જેના કારણે પણ આવી અટકળોને વેગ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : સંસદમાં ક્યારે બંધ થાય છે અને ક્યારે ચાલુ થાય છે માઈક, રાહુલ ગાંધીના સવાલનો આખરે આવ્યો આ જવાબ.. જાણો વિગતે…

Maharashtra Assembly : રાજકીય નિષ્ણાતોનું શું માનવું છે… 

તો બીજી તરફ કેટલાક રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ વિધાનસભા ચૂંટણી પહેલા દબાણનું રાજકારણ પણ હોઈ શકે છે. એક તરફ, ઉદ્ધવ છાવણી શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ પર ભાજપના નેતાઓ સાથે બેઠકો દ્વારા દબાણ લાવવા માંગે છે જેથી સીટની વહેંચણીમાં સારો સોદો કરી શકાય. તે જ સમયે, ભાજપને લાગે છે કે એકનાથ શિંદે અને અજિત પવારની બેઠકોની વધતી માંગને નિયંત્રિત કરવા માટે સમાન દબાણ બનાવવામાં આવી શકે છે. તે સંદેશ આપવા માંગે છે કે અમારી પાસે વિકલ્પો ખુલ્લા છે અને ઉદ્ધવ ઠાકરે સાથે કોઈપણ સમયે પુનઃ વાટાઘાટ થઈ શકે છે.

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Gold-Silver Price Drop:ખરીદદારો માટે લોટરી કે રોકાણકારો માટે ફટકો? ચાંદી ₹4,700 તૂટી, સોનાના ભાવમાં પણ મોટું ગાબડું
US Iran Peace Talks Islamabad: ઈસ્લામાબાદ અને રાવલપિંડી સીલ! ઈરાન-અમેરિકાની વાતચીત માટે પાકિસ્તાને બિછાવી લાલ જાજમ, જાણો અત્યાર સુધીની અપડેટ.
Trump NATO Controversy: ઈરાન સીઝફાયર તો બહાનું છે, અસલ નિશાન નાટો છે! ટ્રમ્પે ગ્રીનલેન્ડ ચેપ્ટર ખોલીને વિશ્વભરમાં મચાવી હલચલ.
Exit mobile version