Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Budget 2024 : વિધાનસભામાં આદિવાસીઓના ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો; લઘુમતી અને અનુસૂચિત જાતિ બંને છૂટનો લાભ લેનારા ૨૫૭ વિદ્યાર્થીઓ!

Maharashtra Budget 2024 : ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં વર્ષ ૨૦૨૩ ની પ્રવેશ પ્રક્રિયામાં આદિવાસી તાલીમાર્થીઓ દ્વારા મળતી રાહતોના લાભમાં થતી ગેરરીતિઓનો અભ્યાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આજે ​​આ સમિતિનો અહેવાલ વિધાનસભા અને વિધાન પરિષદના બંને ગૃહમાં રજૂ કર્યો હતો.

issue of tribal conversion came up again in the legislature; Mangalprabhat Lodha presented the report in the legislature

issue of tribal conversion came up again in the legislature; Mangalprabhat Lodha presented the report in the legislature

News Continuous Bureau | Mumbai

Maharashtra Budget 2024 :

Join Our WhatsApp Channel

 મહારાષ્ટ્ર ( Maharashtra ) માં શૈક્ષણિક સંસ્થાઓમાં અને અન્ય ક્ષેત્રોમાં લઘુમતિ તથા અનુસુચિત જાતિ એમ બન્ને લાભ લેનારાઓનો મુદ્દો ફરી ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આ મુદ્દે મંત્રી લોઢાએ રજૂ કરેલા અહેવાલ ( Report ) માં જણાવ્યું હતું કે ITI માં હાલમાં ૨૫૭ વિદ્યાર્થીઓ એવા છે જે આ બન્ને છૂટનો લાભ લઇ રહ્યા છે.

આ અગાઉ ગૄહનું એવું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ITI સંસ્થાઓમાં લઘુમતી અને અનુસૂચિત જાતિ બંને છૂટછાટો અને આદિવાસી સમુદાયોમાંથી ધર્માંતરિત થયેલા વિદ્યાર્થીઓ અને લઘુમતી અને આદિવાસી બંને છૂટછાટોનો લાભ લેનારા વિદ્યાર્થીઓ છે.  એ સમયે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) એ નાગપુર ખાતેના શિયાળુ સત્રમાં સંપૂર્ણ તપાસનો નિર્દેશ આપ્યો હતો.

ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં વર્ષ ૨૦૨૩ ની પ્રવેશ પ્રક્રિયામાં આદિવાસી તાલીમાર્થીઓ દ્વારા મળતી રાહતોના લાભમાં થતી ગેરરીતિઓનો અભ્યાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આજે ​​આ સમિતિનો અહેવાલ વિધાનસભા અને વિધાન પરિષદના બંને ગૃહમાં રજૂ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : GST Collection: GST કલેક્શનથી સરકારી તિજોરી છલકાઈ, સરકારને ફેબ્રુઆરીમાં થઇ અધધ આટલા કરોડની આવક…

આ અહેવાલ તૈયાર કરતી વખતે, રચાયેલી સમિતિએ અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી પ્રવેશ મેળવનારા ૧૩૮૫૮ વિદ્યાર્થીઓની માહિતીની તપાસ કરી અને આ વખતે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો સામે આવી. આ ૧૩૮૫૮ વિદ્યાર્થીઓમાંથી ૨૫૭ વિદ્યાર્થીઓએ હિંદુ ધર્મ સિવાયના અન્ય ધર્મોની જાણ કરી છે. આ બાબત ગંભીર છે અને તેના માટે નીચેના પગલાં લેવામાં આવશે.

  1. ઉપરોક્ત તમામ ૨૫૭ વિદ્યાર્થીઓની વિગતો અને માહિતી મેળવવા માટે રચાયેલી સમિતિ સંબંધિત ઔદ્યોગિક વહીવટી સંસ્થાઓ, પ્રોજેક્ટ ઓફિસરો, સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ્સ, ગ્રામ સભાઓ વગેરેની મુલાકાત લેશે અને અહેવાલ સુપરત કરશે.
  2. જો તેઓએ તેમનો ધર્મ બદલ્યો હોય તો શું તે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ રાહતો માન્ય રહેશે? આ અંગે સમિતિએ વ્યાપક અભ્યાસ કરીને પગલાં સૂચવવા જોઈએ તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version