Site icon

Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ

Maharashtra Budget 2026: ૨૩ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ અને ૬ માર્ચે રજૂ થશે રાજ્યનું અંદાજપત્ર; વહીવટી સ્તરે તૈયારીઓ તેજ, પવાર પરિવારના આઘાત વચ્ચે સરકાર એક્શન મોડમાં.

Maharashtra Budget 2026 અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે ફેબ્રુઆરીમાં રજૂ

Maharashtra Budget 2026 અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે ફેબ્રુઆરીમાં રજૂ

News Continuous Bureau | Mumbai
Maharashtra Budget 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજીત પવારના નિધનને કારણે રાજ્યના રાજકારણમાં મોટી શૂન્યાવકાશ સર્જાઈ છે. ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનારા રાજ્યના બજેટને લઈને સવાલો ઉભા થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે રાજ્યનું વર્ષ 2026-27 નું અંદાજપત્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતે રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે.રાજ્ય વિધાનમંડળનું બજેટ સત્ર ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે અને ૬ માર્ચના રોજ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. જોકે નાણાં વિભાગ કોને સોંપવામાં આવશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા મુખ્યમંત્રી પોતે જ આ મહત્વનું કામ સંભાળશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ફડણવીસનો બજેટ રજૂ કરવાનો અનુભવ

આ પૂર્વે જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી તરીકે નાણાં વિભાગ સંભાળતા હતા અને તેમણે રાજ્યનું બજેટ સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. ફડણવીસ પાસે અર્થતંત્ર અને બજેટ પ્રક્રિયાનો બહોળો અનુભવ હોવાથી વહીવટી તંત્ર પણ આ દિશામાં તૈયારીઓ કરી રહ્યું છે. અજીત પવારના નિધનથી સર્જાયેલા સંકટને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી સક્ષમ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

Join Our WhatsApp Community

બજેટમાં શું હોઈ શકે છે ખાસ?

આગામી બજેટમાં ખેડૂતો, સામાજિક કલ્યાણ અને ઔદ્યોગિક વિકાસ માટે મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. અજીત પવારના વિઝન મુજબના કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સને પણ આ બજેટમાં સ્થાન મળી શકે છે. હાલમાં વિવિધ વિભાગો પાસેથી માહિતી અને પ્રસ્તાવો મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશને તેની કૌશલ્યવર્ધન પહેલમાં સીમાચિહ્ન સર કર્યું: 3 લાખથી વધુ યુવાનોનું કૌશલ્યવર્ધન, 1.8 લાખને રોજગાર મળ્યો

ત્રણ દિવસનો શોક પૂરો થયા બાદ નિર્ણય

રાજ્યમાં જાહેર કરાયેલો ત્રણ દિવસનો રાજકીય શોક પૂરો થયા બાદ નાણાં વિભાગ અને બજેટ સંબંધિત સત્તાવાર સૂચનાઓ અને ફેરફારોની જાહેરાત કરવામાં આવશે. અજીત પવારના જૂથના (NCP) કોઈ વરિષ્ઠ મંત્રીને નાણાં વિભાગ સોંપવો કે ફડણવીસે પોતે જ તે રાખવો, તે અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version