Site icon

મુંબઈને બાકાત કરતા શહેરોની મહાનગરપાલિકામાં હવે દરેક વોર્ડમાં હશે આટલા નગરસેવકઃ મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

ચાલુ વર્ષે તથા આગામી વર્ષે થનારી સ્થાનિક મહાનગરપાલિકા, પાલિકા તથા પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈને બાકાત કરતા મહારાષ્ટ્રની તમામ મહાનગરપાલિકા તથા મ્યુનિસિપલ કાઉન્સિલમાં હવેથી દરેક વોર્ડમાં ત્રણ નગરસેવકો રહેશે. રાજયની કેબિનેટની બેઠકમાં બુધવારે આ મહત્વનો નિર્ણય  લેવામાં આવ્યો છે. બહુ જલદી તેને લગતો વટહુકમ બહાર પાડવામાં આવશે.

મુંબઈ મ્યુનિસિપલ એક્ટ એ  બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેનો અલાયદો કાયદો છે. તેથી મુંબઈમાં એક વોર્ડ એક નગરસેવકની સિસ્ટમ જ ચાલુ રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થવાની છે.

મુંબઈ સિવાય રાજયની મહાનગરપાલિકામાં દરેક વોર્ડમાં 3, તો નગરપાલિકામાં 2 અને નગરપંચાયતમાં 1 સભ્ય રહેશે એવી માહિતી નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી.

અગાઉ મહાનગરપાલિકામાં 4 નગરસેવકોનો એક વોર્ડ કરવાનો પ્રસ્તાવ નગરવિકાસ વિભાગે રજૂ કર્યો હતો. જોકે ચાર નગરસેવકો સાથે વોર્ડ મોટો થઈ જશે. તેથી 3 નગરસેવકો સાથેનો વોર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહંત નરેન્દ્ર ગિરીના મોતની તપાસ હવે CBI કરશે, આ રાજ્ય સરકારે કરી ભલામણ; જાણો વિગતે 

સરકારના કહેવા મુજબ આ નિર્ણયથી રાજય સરકાર તરફથી મળતા ભંડોળનો યોગ્ય પ્રકારે ઉપયોગ થશે. તેમ જ સંબંધિત વોર્ડનો પણ યોગ્ય રીતે વિકાસ થઈ શકશે એવો દાવો સરકારે કર્યો છે. જોકે આ નિર્ણયથી મહાવિકાસ આઘાડી સરકારના ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ફાયદો થશે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version