Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Cabinet Expansion: 14 ડિસેમ્બરે કેબિનેટ વિસ્તરણ, એકનાથ શિંદેને ગૃહ મંત્રાલય મળવું મુશ્કેલ, આવી છે મંત્રીપદની ફોર્મ્યુલા; જાણો

Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં ભલે ભાજપને મુખ્યમંત્રી પદ મળી ગયું હોય, પરંતુ તણાવ હજુ સમાપ્ત થયો નથી. ચૂંટણી પરિણામો આવ્યા બાદ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદને લઈને લાંબા સમયથી નારાજ હતા, પરંતુ વાટાઘાટો બાદ તેઓ ડેપ્યુટી સીએમ બનવા માટે સંમત થયા હતા.

Maharashtra Cabinet Expansion Portfolio Allocation Still In Limbo, CM Fadnavis Faces Questions Over Delay

Maharashtra Cabinet Expansion Portfolio Allocation Still In Limbo, CM Fadnavis Faces Questions Over Delay

News Continuous Bureau | Mumbai 

Maharashtra Cabinet Expansion:  મહારાષ્ટ્રમાં મહાઉતિ સરકારના શપથ ગ્રહણ સમારોહને હવે એક અઠવાડિયું પૂરું થઇ ગયું છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ સરકારનું કેબિનેટ વિસ્તરણ હજુ થયું નથી. હવે આ વિસ્તરણ 14મી ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે ખાતાની વહેંચણી અંગેની ચર્ચાઓ પૂર્ણ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર ભાજપ ગૃહ વિભાગ અને શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગો જાળવી રાખવા જઈ રહી છે. મહેસૂલ અને જાહેર બાંધકામ વિભાગ શિવસેનાને આપવામાં આવશે. નાણા મંત્રાલય અજિત પવારને મળશે. ભાજપ મહાયુતિમાં રહેલા ઘટક પક્ષોને ભાજપ હસ્તકના બે વિભાગો આપવા તૈયાર છે. ભાજપનો ક્વોટા રેવન્યુ અને હાઉસિંગ વિભાગ ઘટક પક્ષોને આપશે.

Join Our WhatsApp Channel

Maharashtra Cabinet Expansion:  જાણો કયા પક્ષને કયો વિભાગ મળશે

જે વિભાગો ભાજપ પાસે જઈ શકે છે તે છેઃ ગૃહ વિભાગ, શહેરી વિકાસ, કાયદો, સામાન્ય વહીવટ, ગ્રામીણ વિકાસ, ઉર્જા, જાહેર બાંધકામ, પર્યાવરણ, વન, આદિજાતિ.

જે વિભાગો શિવસેના પાસે જઈ શકે છે તે છેઃ જાહેર બાંધકામ (PWD), શ્રમ, શાળા શિક્ષણ, રાજ્ય આબકારી, પાણી પુરવઠો અને સ્વચ્છતા, પરિવહન.

જે વિભાગો એનસીપી પાસે જઈ શકે છે તે છેઃ નાણા અને આયોજન, આવાસ, તબીબી શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠો, મહિલા અને બાળ કલ્યાણ, રાહત અને પુનર્વસન, ખાદ્ય અને ઔષધ વહીવટ.

Maharashtra Cabinet Expansion:   આવી છે મંત્રીપદની ફોર્મ્યુલા 

ભાજપને 20, એકનાથ શિંદેની શિવસેનાને 12 અને અજિત પવારની એનસીપીને 10 મંત્રી પદ આપવામાં આવશે. સૂત્રોએ માહિતી આપી હતી કે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠકમાં આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રની કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે. બુધવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપી નેતા અમિત શાહની મુલાકાત થઈ હતી. મુખ્યમંત્રી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet expansion: CM દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણય, એકનાથ શિંદેના નજીકના વ્યક્તિને આ પદ પરથી હટાવ્યા; કરી નવી નિમણુંક…

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 14 ડિસેમ્બરે તેમના પ્રથમ કેબિનેટનું વિસ્તરણ કરશે. તે પછી રાજ્યનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થઈ રહ્યું છે. જેના કારણે તે પહેલા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે સેના દ્વારા અઢી વર્ષની મંત્રીપદની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

Anti Paper Leak Bill Lok Sabha સંસદના ચોમાસુ સત્રમાં એન્ટી પેપર લીક બિલ પર મહામંથન લોકસભામાં વિપક્ષનો વિરોધ અને હંગામો..
Lok Sabha Paper Leak Bill Debate સંસદમાં પેપર લીક મુદ્દે તીખી બહસ, અખિલેશ યાદવ અને કિરેન રિજિજૂ વચ્ચે શાબ્દિક યુદ્ધ, જાણો કોણે શું કહ્યું?
Sugar Stock Holding Limit ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સ્ટોક મર્યાદા લાગુ કરાઈ
CRPF Report Anti NEET Protests નીટ વિરોધ પ્રદર્શનમાં પેલેટ ગન વાપરવાની અપાઈ હતી મંજૂરી CRPF રિપોર્ટમાં મોટો ધડાકો
Exit mobile version