Site icon News Continuous Bureau | Mumbai

આ વર્ષે ફરી પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મળશે મહારાષ્ટ્રનો ચિત્રરથ, આ મંત્રીની વિનંતી બાદ મળી મંજૂરી..

મહારાષ્ટ્રનો ચિત્રરથ, જેણે 12 વખત શ્રેષ્ઠ ચિત્રરથનો એવોર્ડ જીત્યો છે, તેને આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં નકારી કાઢવામાં આવ્યો હતો.

Maharashtra Chitrarath will appear on the Rajpath after the request of Sudhir Mungantiwar

આ વર્ષે ફરી પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મળશે મહારાષ્ટ્રનો ચિત્રરથ, આ મંત્રીની વિનંતી બાદ મળી મંજૂરી..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રનો ચિત્રરથ, જેણે 12 વખત શ્રેષ્ઠ ચિત્રરથનો એવોર્ડ જીત્યો છે, તેને આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં નકારી કાઢવામાં આવ્યો હતો. જોકે, વન અને સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે કેન્દ્ર સાથે ચર્ચા કરી અને મહારાષ્ટ્રના ચિત્રરથનો સમાવેશ કરવાની માંગણી કરી હતી, જે બાદ આ માંગણી સ્વીકારવામાં આવી છે.

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિની વિવિધતાને દર્શાવવા દર વર્ષે પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોના ચિત્રરથ રજૂ કરવામાં આવે છે. આ માટે રાજ્યો પાસેથી દરખાસ્તો અને નમૂનાઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ તપાસ દ્વારા ચોક્કસ સંખ્યામાં રાજ્યોની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે મહારાષ્ટ્રને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાથી રાજ્યના ચિત્રરથના સમાવેશની શક્યતા ઓછી હતી. જેના કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે વન અને સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવારે તેની નોંધ લેતા બુધવારે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનો સંપર્ક કર્યો હતો. તે પછી, મહારાષ્ટ્રના ચિત્રરથનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના BJP ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, ફોર્ચ્યુનર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી.. જાણો કેવું છે ધારાસભ્ય સ્વાસ્થ્ય

અત્યાર સુધીમાં 38 વખત ભાગ લીધો છે

1971 થી 2022 સુધીના 51 વર્ષ દરમિયાન મહારાષ્ટ્રે 38 વખત ચિત્રરથ દ્વારા મહારાષ્ટ્રની પરંપરા દર્શાવી છે. આ માટે તેને 12 વખત બેસ્ટ ચિત્રરથનો એવોર્ડ પણ મળ્યો છે.

RBI SGB New Tranche Closed 2026 સોનાના રોકાણકારોને મોટો ઝટકો, સરકારે બમ્પર કમાણી કરાવતી આ ગોલ્ડ સ્કીમ હંમેશા માટે બંધ કરી;
Khan Sir Firing Case ખાન સર ફાયરિંગ કેસ શનિવારે ફાઇલ ન થઈ શકી આગોતરા જામીન અરજી, હવે સોમવાર સુધી કરવી પડશે રાહ
Oil India Andaman Gas ભારતના હાથ લાગ્યો ઊર્જાનો અખૂટ ખજાનો અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો વિશાળ ભંડાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની મોટી જાહેરાત
Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
Exit mobile version