News Continuous Bureau | Mumbai
Maharashtra Clash: રત્નાગિરીમાં પૂર્વ સાંસદ નિલેશ રાણેની ( Nilesh Rane ) કાર પર પથ્થરમારો ( Stone Pelting ) કરવામાં આવ્યો હતો. નિલેશ શુક્રવારે રત્નાગીરીમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યો હતો. ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો બાદ ભાજપ ( BJP ) અને શિવસેના ( UBT ) ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નીલેશ રાણે ગુહાગરમાં એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે પટપન્હાલે કોલેજ પાસે આ ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રાણે અને શિવસેના (UBT)ના નેતા ભાસ્કર જાધવના ( Bhaskar Jadhav ) સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા.
#WATCH | Stones were pelted at the convoy of BJP leader and former MP Nilesh Rane by unidentified persons in Chiplun of Maharasthra’s Ratnagiri yesterday. The incident happened after Shiv Sena UBT faction workers and BJP workers clashed in front of the office of Shiv Sena (UBT)… pic.twitter.com/exC1dj67lu
— ANI (@ANI) February 17, 2024
આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા…
નિલેશ રાણે અને ભાસ્કર જાધવના સમર્થકો વચ્ચેની અથડામણને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ પણ મોકલવામાં આવી હતી. બંને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
दादागिरी पेरली आहे तर दादागिरी उगवत आहे आणि जी दादागिरी उगवते आहे ती भारी पडत आहे, पण महाराष्ट्रासाठी हे द्वेषाचं वातावरण घातक आहे.
माजी खासदार निलेश राणेंच्या गाडीवर चिपळुणात दगडफेक #Chiplun #NileshRane #BJP #ShivsenaUBT #BhaskarJadhav@RahulGandhi @narendramodi@kharge… pic.twitter.com/bykLzEEEK5
— Sonallaxmi Ghag (@sonallaxmi) February 16, 2024
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: જેણે પાર્ટી બનાવી તેને જ… NCP પાર્ટીનું નામ અને પ્રતીક છીનવાય જતા, હવે શરદ પવારનું છલકાયું દર્દ..
મિડીયા રિપોર્ટ મુજબ, જ્યારે નિલેશ એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા. ત્યારે કોઈએ તેમની કાર પર કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. જે બાદ ઘટનાસ્થળે ભાજપના કાર્યકરો એકઠા થઈ ગયા હતા અને બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. અથડામણમાં કેટલીક કારને નુકસાન થયું હતું.
નોંધનીય છે કે, નિલેશ રાણે પૂર્વ સાંસદ અને ભાજપના નેતા છે. તેઓ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મોટા પુત્ર છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વિપક્ષની ચીડ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમણે વઘુમાં કહ્યું હતું કે, આ ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવાય છે કે ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણે અને શિવસેના યુબીટી ધારાસભ્ય ભાસ્કર જાધવ વચ્ચે પહેલેથી જ રાજકીય મતભેદો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)