Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી બનતા જ એકનાથ શિંદેએ લીધો અજબ નિર્ણય-મુંબઈના તળાવોનું આટલું પાણી થાણાને આપી દીધું-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) પદ સ્વીકારવાની સાથે જ મુંબઈગરા સાથે અન્યાય કર્યો છે. મુંબઈના કોટાનું પાણી(Quota water) તેમણે થાણેને આપી દીધું છે. મુંબઈની પ્રતિદિન મળતું 3,850 લિટર પાણી મુંબઈની સવા કરોડની વસ્તી સામે પહેલાથી ઓછું છે, તેમાં હવે મુંબઈના ક્વોટાનું 20 મિલિયન લિટર પાણી તેમણે થાણેને(Thane) આપી દીધું છે. 

Join Our WhatsApp Channel

એકનાથ શિંદે થાણે વિસ્તારના છે, તેથી મુખ્યમંત્રી બનવાની સાથે જ તેમણે થાણેવાસીઓને ખુશ કરવા માટે મુંબઈના હિસ્સાનું પાણી થાણેને આપી દીધું છે.

થાણે શહેરને વધારાનો પાણી પુરવઠો(water supply) કરવા માટે ભાતસા(Bhatsa) અને બારવી બંધમાંથી(Barvi Bandh) 50-5- મિલિયન લિટર અને મુંબઈ મહાનગરપાલિકાના(BMC) ક્વોટાનું 20 મિલિયન લિટર પ્રક્રિયા કરેલું  પાણી થાણેના કોપરી અને વાગળે એસ્ટેટ પરિસર તેમ જ દીવા પરિસરને સાડા છ મિલિયન લિટર વધારાનું પાણી આપવાનો નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે નક્કી થઇ ગયું- આ તારીખે થશે શિંદે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ

હાલ થાણે શહેરને 485 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો થાય છે. વધતી લોકસંખ્યા સામે બારવી અને ભાતસા બંધમાંથી 50-50 મિલિયન લિટર વધારાનું પાણી ઉચેલવાનો નિર્ણય તાજેતરમાં થયેલી બેઠકમાં મુખ્યપ્રધાને લીધો હતો.
 

Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Marathi Course for Auto Taxi Drivers ભાષા શીખવાની પહેલ રંગ લાવી ૧૫ ઓગસ્ટ પહેલાં ૫૦,૦૦૦ બિનમરાઠી ડ્રાઇવરોએ સફળતાપૂર્વક પાસ કર્યો મરાઠી કોર્સ
Exit mobile version