News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે(Eknath Shinde) એક પછી એક મોટા પગલાં ઊંચકી રહ્યા છે. તેમણે શિવસેના(Shivsena)ની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી જાહેર કરી. હવે ૨૦ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ(Supreme court)માં થનાર સુનાવણી પર સહુ કોઈની નજર ટકેલી છે ત્યારે તેઓ દિલ્હી (Delhi)જવા માટે રવાના થઇ ગયા છે. એવું માનવામાં આવે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની મુલાકાત કરશે તેમજ શિવસેના પાર્ટી સંદર્ભે તેમણે જે નિર્ણયો લીધા છે તેનાથી વડાપ્રધાનને અવગત કરાવશે અને કેબિનેટના વિસ્તરણ સંદર્ભે અંતિમ નિર્ણય લેવાશે.
આ ઉપરાંત એકનાથ શિંદે દિલ્હીમાં કોને મળવાના છે તેની વિગતો જાહેર થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : વાદળ ફાટવાથી આ જગ્યાએ ભારે તારાજી
