Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra CM Race : ‘લોકો ઇચ્છે છે કે હું મહારાષ્ટ્રનો સીએમ બનું…’ હવે શું છે એકનાથ શિંદેનો પ્લાન, સરકાર બનાવતા પહેલા કર્યો મોટો દાવો.

Maharashtra CM Race : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી હોવા છતાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત છે. દરમિયાન, એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે જનતા તેમને મહારાષ્ટ્રના સીએમ તરીકે પાછા જોવા માંગે છે. મહારાષ્ટ્રની નવી સરકારની 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેવાની જાહેરાતના એક દિવસ બાદ કાર્યકારી મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ તેમની પરત ફરવાની જોરદાર તૈયારી કરી છે.

Maharashtra CM Race Worked as common man, so people want me back as Maharashtra CM

Maharashtra CM Race Worked as common man, so people want me back as Maharashtra CM

News Continuous Bureau | Mumbai 

Maharashtra CM Race : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવ્યા પછી પણ, મહાયુતિ હજી પણ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શકી નથી. દરમિયાન, શિવસેના પ્રમુખ એકનાથ શિંદે રાજ્યના ટોચના પદ માટે દાવો કર્યો  છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગઠબંધનના ત્રણેય પક્ષો સાથે બેસીને સીએમ પદ અંગે નિર્ણય લેશે. અત્યાર સુધી એવા સંકેતો છે કે આ પદ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જઈ શકે છે. 

Join Our WhatsApp Channel

 Maharashtra CM Race : એકનાથ શિંદે સીએમની ખુરશી છોડવા માંગતા નથી.

મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી હોવા છતાં સરકાર બનાવવાનો માર્ગ ઉકેલાવાને બદલે વધુ જટિલ બની રહ્યો છે. શિવસેનાના નેતા અને કાર્યવાહક સીએમ એકનાથ શિંદે સીએમની ખુરશી છોડવા માંગતા નથી. તેમણે ફરી એકવાર સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યની જનતા તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.  તેમણે કહ્યું કે તેમણે સામાન્ય માણસની જેમ કામ કર્યું છે, તેથી જ સામાન્ય માણસને લાગે છે કે તેઓ ફરીથી સત્તામાં આવે.

 Maharashtra CM Race : ‘મને મુખ્યમંત્રી બનાવવો જોઈએ’

મીડિયા સાથે વાત કરતા એકનાથ  શિંદેએ કહ્યું કે હું જનતાનો સીએમ છું. હું હંમેશા  કહેતો આવ્યો છું કે હું માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ સામાન્ય માણસ છું. હું લોકોની સમસ્યાઓ અને દર્દને સમજું છું અને મેં તે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. હું સામાન્ય લોકો માટે કામ કરું છું એટલે લોકો માને છે કે મારે સીએમ બનવું જોઈએ. બીજી તરફ, મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે નવી સરકારના શપથ ગ્રહણ માટે ભાજપની તૈયારી ચાલી રહી છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદેનું આ નિવેદન ઘણું મહત્વનું બની જાય છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહાયુતિમાં નવા જુનીના એંધાણ? એકનાથ શિંદે અચાનક બેઠક રદ્દ કરી ગયા પૈતૃક ગામ; ભાજપનું વધ્યું ટેંશન..

 Maharashtra CM Race : પીએમ મોદી અને અમિત શાહના નિર્ણયનું સમર્થન કરશે

થોડા દિવસ અગાઉ એક પત્રકાર પરિષદને સંબોધતા શિંદેએ કહ્યું કે શિવસેના રાજ્યમાં નવી સરકારની રચના અંગેના ભાજપના નિર્ણયને સમર્થન કરશે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે મહારાષ્ટ્રના સીએમ પદ અંગેનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના વડા જગત પ્રકાશ નડ્ડાએ લેવાનો છે અને તેઓ આ નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરે છે.

India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
RBI’s strategic measures RBI’s strategic measures RBI ના નિર્ણયોની પોઝિટિવ અસર વિદેશી રોકાણ (Foreign Investment) આંકડો ૩.૩૨ લાખ કરોડને પાર, ભારતની આર્થિક સ્થિતિ થઈ મજબૂત
INDIA bloc PM face ૨૦૨૯ની ચૂંટણીમાં કોણ હશે INDIA ગઠબંધનનો PM ફેસ? શું ઉદ્ધવ ઠાકરે જૂથે નામ કરી દીધું નક્કી? બેઠકમાં ઉઠેલા આ ૨ સવાલોએ જગાવી ચર્ચા
Maharashtra Politics | શિંદે vs ફડણવીસ? આમંત્રણની એક ‘ભૂલ’ અને જગજાહેર થઈ ગઈ મહાયુતિની તિરાડ; નેતાઓમાં અસંતોષના એંધાણ
Exit mobile version