Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, ગમે ત્યારે રાજીનામું આપશે ઠાકરે, દીકરો અથવા પત્ની બનશે CM: ભાજપના આ નેતાના નિવેદનથી મચ્યો ખળભળાટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે.

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે બીમારીના કારણે સીએમ પદ છોડી દે છે તો તેઓ પત્ની રશ્મિ અથવા પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવી શકે છે. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, તબિયત ખરાબ હોવાને કારણે મુખ્યમંત્રી 45 દિવસથી વધુ સમયથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેમણે પોતાના પદનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ.

જોકે આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવેદનને ફગાવી દીધું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે. 

અયોધ્યામાં દલાતરવાડી જેવો ઘાટઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જમીન થઈ ગઈ સોનાની લગડી, ધારાસભ્ય, મેયર, સરકારી અધિકારીઓ તૂટી પડયા જમીનની ખરીદી પાછળ.

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version