Site icon News Continuous Bureau | Mumbai

મુંબઇગરાઓ ચેતી જાવ: જો સુરક્ષાના ધોરણોનું પાલન નહીં કરશો તો ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે .. ઉદ્ધવ ઠાકરેની ચીમકી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ઓક્ટોબર 2020

કોવિડ -19 સામેના યુદ્ધમાં લોકોએ "સંપૂર્ણ દિલથી ભાગીદારી" નોંધાવવી પડશે એવો પુનરોચ્ચાર કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સરકારે વધુ લોકોને સમાવવા માટે રેલવેની ઉપનગરીય ટ્રેન સેવાઓની સંખ્યા વધારવાનું મન બનાવ્યું છે. ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્ર ધીરે ધીરે અને કાળજીપૂર્વક તમામ ક્ષેત્રો ખોલી રહ્યું છે, ત્યારે લોકોએ નક્કી કરવાનું છે કે રોગચાળાને નાથવા માટે સામાજિક અંતર અને આરોગ્યના નિયમોનું પાલન કરવું છે કે પછી ફરીથી લોકડાઉનનો સામનો કરવો છે. સીએમએ કહ્યું કે “આપણે બધા ટ્રેનોથી મુસાફરી કરવા માંગીએ છીએ. પણ મારે ભીડ નથી જોઈતી. મેડીકલ ગાઈડલાઈન નું પાલન કરો એવું ઈચ્છું છું."

ઠાકરેએ ઉમેર્યું હતું કે ડોકટરો અને સરકારના પ્રયત્નો છતાં, માસ્ક પહેરવામાં અને સામાજિક અંતરનાં ધારાધોરણોને અનુસરવામાં લોકો બેદરકાર હોવાનું જણાયું છે. યુ.એસ, યુરોપ અને ઇઝરાઇલના ઘણા રાજ્યોએ ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. કોવિડ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં, બેદરકારીની ભાવના વધી છે. કેટલાક દેશોએ લોકડાઉન ઉલ્લંઘન માટે કડક કાયદા અથવા કડક દંડ લાદ્યો છે. આથી હવે, હું નાગરિકો પર છોડી દઉં છું કે મુંબઈકરો માટે માસ્ક પહેરવું સારું છે કે લોકડાઉન વધુ સારું છે '

સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે તે માટે જ જીમ અને પૂજાસ્થળ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં વાર લાગી રહી છે. "જીમમાં, હાર્ટ પમ્પિંગ રેટ વધે છે અને જો કોઈ કોવિડ -19 પોઝિટિવ છે, તો ફેલાવો (શ્વાસ બહાર કાઢવાના માર્ગ દ્વારા) ઝડપી થશે. અમે સમૃદ્ધિ લાવવા માટે તમામ ક્ષેત્રોને ફરીથી ખોલવા માગીએ છીએ, પરંતુ જો કાળજી નહીં લેવાય તો વાયરસના ફેલાવા બદલ સરકાર કાંઈ નહીં કરી શકે."

Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Supreme Court Judges Salary Shiv Sena Bench શિવસેના સુનાવણીના ૩ ન્યાયાધીશોનો પગાર કેટલો? આંકડો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત…
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Exit mobile version