Site icon

Solapur accident: લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, મહારાષ્ટ્રમાં ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના ૫ સભ્યોના મોત.

મહારાષ્ટ્રના સોલાપુરમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ દુર્ઘટનામાં એક નવવિવાહિત યુગલ ગંભીર રીતે ઘાયલ થયું છે.

Solapur accident લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, મહારાષ્ટ્રમાં ટ્રક-કારની ટક્કરમાં એ

Solapur accident લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, મહારાષ્ટ્રમાં ટ્રક-કારની ટક્કરમાં એ

News Continuous Bureau | Mumbai

Solapur accident  મહારાષ્ટ્રના સોલાપુરથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. તુલજાપુર માં દેવદર્શન માટે નીકળેલા નવવિવાહિત દંપતિની કારનો ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટનામાં નવવિવાહિત દંપતિ ગંભીર રીતે ઘાયલ થયું છે.

Join Our WhatsApp Community

શું છે સમગ્ર મામલો?

બાર્શી તહસીલના પાંગરી ગામમાં કાર અને ટ્રકની સામસામે ટક્કર થવાથી આ દર્દનાક ઘટના બની છે. પાંગરી ગામ પાસે આવેલા જાંભળબેટ પુલ પર થયેલા આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે કચડાઈ ગઈ હતી. મૃતકોમાં ગૌતમ કાંબલે, જયા કાંબલે, સંજય વાઘમારે, સારિકા વાઘમારે સહિત એક અન્ય મહિલાનો સમાવેશ થાય છે.વળી, ચાર દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા અનિકેત ગૌતમ કાંબલે અને મેઘના અનિકેત કાંબલે ગંભીર રીતે ઘાયલ છે.

આ સમાચાર પણ વાંચો : GDP Growth: GDPના મજબૂત આંકડાઓની અસર, શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, રોકાણકારોને મોટો ફાયદો

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને બાર્શીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા.પ્રાથમિક માહિતી મુજબ, 26 નવેમ્બરના રોજ અનિકેત અને મેઘનાના લગ્ન થયા હતા. પરિવારજનો આ બંનેને લઈને તુલજાપુરમાં દેવદર્શન માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ ભીષણ અકસ્માત થયો.

Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Exit mobile version