Site icon News Continuous Bureau | Mumbai

અન્નદાતા સામે ઝૂકી સરકાર.. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની આટલા ટકા માંગણીઓ સ્વીકારી, આંદોલન રખાયું મોકૂફ…

Maharashtra Farmers March Postponed

અન્નદાતા સામે ઝૂકી સરકાર.. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની આટલા ટકા માંગણીઓ સ્વીકારી, આંદોલન રખાયું મોકૂફ…

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન આખરે મોકૂફ રાખવામાં આવ્યું છે. ખેડૂત નેતા જીવા પાંડુ ગાવિતે આજે સવારે આ જાહેરાત કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે રાજ્ય સરકારે અમારી 70 ટકા માંગણીઓ સ્વીકારી લીધી છે. તેથી, અમે અમારી પદયાત્રા પાછી ખેંચી રહ્યા છીએ. હજારો ખેડૂતો અને આદિવાસીઓએ તેમની માંગણીઓ માટે ગયા રવિવારે ડિંડોરીથી 200 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી હતી. તે મુંબઈથી લગભગ 80 કિમી દૂર થાણે જિલ્લાના વાસિંદ શહેર પહોંચ્યું છે.

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ)ના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જીવા ગાવિત આ કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે. ખેડૂત આગેવાન જીવા પાંડુએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવા અંગેની વિનંતીની નકલ જિલ્લા કલેક્ટરે આપી છે. પોલીસ, કલેક્ટર અને રાજ્ય સરકારનો આભાર માનીને તેમણે આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

પૂર્વ ધારાસભ્ય જીવા પાંડુ ગાવિતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી કેટલીક માંગણીઓ પર સકારાત્મક ચર્ચા થઈ છે. એક મહિનામાં કેટલીક માંગણીઓનો અમલ કરવામાં આવશે. જ્યારે કેટલીક માંગણીઓ કેન્દ્ર સરકાર સાથે સંબંધિત છે, તેથી રાજ્ય સરકાર તેને કેન્દ્રને મોકલશે. તેમણે કહ્યું કે, ખેડૂતોની માંગણીઓને લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી 70 ટકા માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ અંગે ખુદ કલેકટરે અમને જાણ કરી છે. એટલા માટે અમે અમારું આંદોલન પાછું ખેંચી રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ સેનાના ગઢ વર્લી વિધાનસભાને જીતવા મનસેની તૈયારી, રાજ ઠાકરે પાર્ટીના આ સભ્યને સોંપશે જવાબદારી.. ચર્ચાનું બજાર ગરમ

ખેડૂતોની માંગણીઓમાં ડુંગળીના ઉત્પાદકોને ક્વિન્ટલ દીઠ 600 રૂપિયાની તાત્કાલિક આર્થિક રાહત, 12 કલાક સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવો અને ખેડૂતોની લોન માફી વગેરેનો સમાવેશ થાય છે. હજારો ખેડૂતો અને આદિવાસીઓએ રવિવારે ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી શહેરથી કૂચ કરી હતી અને મુંબઈથી લગભગ 80 કિમી દૂર વાસિંદ પહોંચ્યા હતા.

Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
RBI Scheme Rupee Surge આરબીઆઈની આ યોજનાથી રૂપિયામાં તુફાની છલાંગ, ડોલર સામે જોવા મળી 47 પૈસાની શાનદાર રિકવરી
Gold Silver Price Surge સોનું 1,54,000 ને પાર અને ચાંદી 2,40,000 ના સ્તરની નજીક, વાયદા બજારમાં અચાનક તેજી પાછળના મુખ્ય કારણો
Exit mobile version