Site icon

Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ડેપ્યુટી સીએમ અજિત પવારના આદેશથી એકલ મહિલાઓને આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે રાજ્યવ્યાપી અભિયાન; પુનર્વિવાહ માટે આર્થિક મદદ અને ઘરકુલ યોજનાનો લાભ આપવાનો નિર્ણય.

Single women એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય;

Single women એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય;

News Continuous Bureau | Mumbai

Single women  મહારાષ્ટ્રમાં એકલ મહિલાઓને આર્થિક અને સામાજિક બળ આપવા માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે જિલ્લા પરિષદ દ્વારા વિશેષ રાજ્યવ્યાપી અભિયાન લાગુ કરવાના આદેશ ઉપમુખ્યમંત્રી અજિત પવારે આપ્યા છે.સહ્યાદ્રિ અતિથિગૃહ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉપમુખ્યમંત્રી પવારના અધ્યક્ષપદે મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટ્કરે તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન પુણે જિલ્લા પરિષદે શરૂ કરેલી ઝુંબેશના ધોરણે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

પુનર્વિવાહ અને ઘરકુલ માટે આર્થિક સહાય

ઉપમુખ્યમંત્રી પવારે સ્પષ્ટ જણાવ્યું, “એકલ મહિલાઓને સમાજમાં સન્માન, સંપત્તિના અધિકારો, આરોગ્ય સેવાઓ અને આર્થિક સહાય મળવી જોઈએ. તેઓ આત્મનિર્ભર બનવી જોઈએ.” તે માટે, કેરળ અને તમિલનાડુના ધોરણે મહારાષ્ટ્રમાં પણ એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક મદદ અને પાત્ર મહિલાઓને ઘરકુલ યોજનાનો લાભ આપવાના નિર્દેશો તેમણે આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Wedding Ceremony: તુલસી વિવાહ તો થયા, હવે લગ્નસરાનો પ્રારંભ; જાણો આ વર્ષની શુભ તિથિઓ અને લગ્ન મુહૂર્ત

સર્વેક્ષણ અને સરકારી ભરતીમાં પ્રાધાન્ય

આ ઉપરાંત, રાજ્યની એકલ મહિલાઓનું સર્વેક્ષણ કરીને કોમ્પ્યુટરાઇઝડ ડેટાબેઝ સિસ્ટમ તૈયાર કરવા, એએનએમ (ANM), સ્ટાફ નર્સ અને એનએચએમ (NHM) ભરતીમાં પ્રાથમિકતા આપવા, વ્યવસાય માટે લોન આપવા, ગામ સ્તરે જાગૃતિ શિબિરો અને માર્ગદર્શન સત્રોનું આયોજન કરવાના આદેશો પણ આ બેઠકમાં આપવામાં આવ્યા છે.રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ માટે આ યોજના “ટર્નિંગ પોઇન્ટ” સાબિત થઈ શકે છે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version