Site icon

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં આ તારીખથી થિયેટરો અને ઑડિટોરિયમ પણ ખૂલી જશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
 શિવસેના સરકાર દ્વારા શુક્રવારે શાળાઓ અને ધાર્મિક સ્થળો ફરીથી ખોલવા માટેના આદેશ બાદ, આજે બપોરે સિનેમાઘરો માટે પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ ટાસ્ક ફોર્સની બેઠકમાં એક મોટી જાહેરાત કરી છે કે તમામ કોવિડ-19 સલામતી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રમાં થિયેટરો અને ઑડિટોરિયમ 22 ઑક્ટોબરથી ફરી ખોલી શકાશે.

Join Our WhatsApp Community

સીએમ ઠાકરેએ કોવિડ ટાસ્ક ફોર્સની બેઠકમાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત, રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે, ફિલ્મ નિર્માતાઓ રોહિત શેટ્ટી અને કુણાલ કપૂર, થિયેટર વ્યક્તિત્વ મકરંદ દેશપાંડે, મરાઠી અભિનેતા સુબોધ ભાવે, આદર્શ બાંડેકર અને અન્ય લોકોની હાજરીમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે સિનેમા હૉલ અને નાટકનાં થિયેટરોને 22 ઑક્ટોબરથી કોરોના મહામારીનાં 1.5 વર્ષ બાદ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તેઓએ કોવિડ-19 સંબંધિત તમામ આરોગ્ય પ્રોટોકોલનું ખાસ પાલન કરવાનું રહશે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version