Site icon

અનલૉકમાં લગ્નપ્રસંગ માટે શું હશે હવે નિયમો? જાણો અહીં …

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5  જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

અનલૉકને પગલે લગ્નની મોસમ હોવા છતાં માહોલ ફિક્કો જણાતો હતો. હવે જોકે મહારાષ્ટ્ર સરકારે અનલૉકમાં અનેક પ્રકારની રાહત આપી છે. લગ્નપ્રસંગ સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે તેમ જ લોકોને એમાં જોડવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમ મુજબ પહેલા લેવલમાં આવતા શહેર અને જિલ્લામાં લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમ પર કોઈ જાતના પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. એથી અહીં રહેતા નાગરિકો લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમમાં હાજરી આપી શકશે. જોકે કોરોના સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

હવે દર ગુરુવારે ખતરાની ઘંટી વાગશે. કેમ? જાણો અહીં

બીજા લેવલમાં આવતાં શહેરોમાં લગ્નમાં 50 ટકા લોકોની હાજરીને મંજૂરી છે. ત્રીજા લેવલમાં પણ 50 ટકા સુધીની ક્ષમતા મુજબ લોકો હાજર રહી શકશે. જોકે ચોથા લેવલમાં આવતાં શહેરોમાં લગ્નપ્રસંગમાં માત્ર 25 લોકોની હાજરીને મંજૂરી રહેશે. જ્યારે પાંચમા લેવલમાં આવતા શહેર અને જિલ્લામાં નિયમ વધુ આકરા હશે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version