Site icon News Continuous Bureau | Mumbai

સ્કૂલની ફીમાં 15 ટકાના ઘટાડાની મહારાષ્ટ્ર સરકારની જાહેરાત બાદ પણ વાલીઓ કેમ છે નારાજ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

કોવિડ મહામારીને પગલે સ્કૂલની ફીમાં 15 ટકાનો ઘટાડો કરવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે, પરંતુ આ સંદર્ભમાં સરકારે વટહુકમ બહાર પાડ્યો નથી, એથી સ્કૂલની ફીના નિર્ણયનો અમલ થઈ શક્યો નથી. એથી વાલીઓમાં સરકારની ફસામણી જાહેરાત સામે ભારે નારાજગી જોવા મળી છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ કર્યો ચોંકાવનારો આરોપ; જાણો વિગત

કોરોનાને પગલે દેશભરમાં આખું વર્ષ ઑનલાઇન સ્કૂલ ચાલી હોવા છતાં સ્કૂલની ફી પૂરી વસૂલ કરવામાં આવી હતી. સામાન્ય પરિવારને કોરોનાને પગલે આવકમાં ફટકો પડ્યો હોવાથી સ્કૂલની ફીમાં ઘટાડો કરવાની માગણી થઈ રહી હતી. આ બાબતે હાઈ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પણ સરકારની ટીકા કરી હતી. છેવટે  ઠાકરે સરકારે રાજ્યની સ્કૂલ ફીમાં કપાત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વટહુકમ હજી સુધી બહાર પાડ્યો નથી. એથી વાલીઓને કોઈ રાહત મળી નથી અને વાલીઓ પર ફી ભરી નાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. જોક્ આવી શાળાઓ વિરુદ્ધ શિક્ષણ ખાતામાં ફરિયાદ કરવાની અપીલ શિક્ષણ વિભાગે કરી છે તેમ જ બહુ જલદી આ બાબતે વટહુકમ બહાર પાડવામાં આવશે એવું પણ શિક્ષણ વિભાગે કહ્યું હતું.

Ketan Agarwal Murder Case Siya Goyal દીકરી સામે પિતાનો જ ન્યાય! કેતનના કથિત મર્ડર કેસ પર સિયા ગોયલના પિતાનું મોટું નિવેદન આવ્યું સામે
Maharashtra Rain Alert 24 Districts મેઘરાજાની તોફાની બેટિંગ! મહારાષ્ટ્રના ૨૪ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જળબંબોળ સ્થિતિ વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Exit mobile version