Site icon

મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને મળશે રાહત. ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન નિયમોના ઉલ્લંઘનના સંબંધમાં દાખલ કરાયેલા તમામ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. 

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે જાહેરાત કરી હતી કે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન, રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓ પર કલમ 188 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ સામે કેસ નોંધાયા હોવાથી તેમને પાસપોર્ટ મેળવવામાં તકલીફ થતી હતી. કેસ પાછા ખેંચવાના કારણે વિદ્યાર્થીઓને રાહત મળશે.

દિલીપ વળસે પાટીલે મીડિયા હાઉસને જણાવ્યા મુજબ આ દરખાસ્ત હવે રાજ્ય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે અને દરખાસ્ત મંજૂર થતાંની સાથે જ કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના પ્રથમ કેસના લગભગ ત્રણ મહિના પછી, 11 માર્ચ, 2020 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા COVID-19 ને રોગચાળો જાહેર કર્યા પછી, મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક લોકડાઉન રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવ્યા હતા, ત્યારે રોગચાળાના કોરોના વાયરસ ના પછીના તબક્કામાં સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  તો ભર ઉનાળે મહારાષ્ટ્રમાં છવાઈ જશે અંધારપટ! વીજ વિતરણ માં કર્મચારીઓ હડતાળ પર, સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ.. જાણો વિગતે

આવા તમામ લોકડાઉન દરમિયાન, ખાસ કરીને રોગચાળાના શરૂઆતના મહિનાઓમાં, કડક નિયમો મૂકવામાં આવ્યા હતા અને ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ કરવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા અથવા કર્ફ્યુના સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવા સહિત COVID-19 માર્ગદર્શિકા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પણ લાદવામાં આવ્યો હતો.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version