Site icon

 મહારાષ્ટ્રમાં કોરોના સંકટ ઘેરાયું, હવે આ નેતા પણ આવ્યા કોરોનાની ચપેટમાં; માત્ર એક અઠવાડિયામાં 4 મંત્રીઓ કોરોનગ્રસ્ત થતા ઠાકરે સરકાર ચિંતામાં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

મહારાષ્ટ્રમાં હવે એક પછી એક રાજ્યના મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. 

કોંગ્રેસ વિધાયક દળના નેતા અને મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 

તેમણે ટ્વીટ કરીને કોરોના સંક્રમિત થવાની માહિતી આપી છે. સાથે જ તેમણે સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. 

તેમણે કહ્યું કે તેમની તબિયત સારી છે, સંક્રમણના કોઈ લક્ષણ નથી. તેમ છતાં હું ડૉક્ટરની સલાહ પર વધુ સારવાર લઈશ. 

આમ હવે રાજ્ય સરકારના કુલ ચાર મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે, આદિજાતિ વિકાસ મંત્રી કેસી પડવી, શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, સાંસદ સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે. 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version