Site icon

મહારાષ્ટ્ર સરકારનું નાગરિકોને નવું ફરમાન- આજે સવારે 11 વાગ્યે સામૂહિક રાષ્ટ્રગીતમાં ભાગ લો- સાથે વિધાર્થીઓને અપાઈ આ સૂચના  

Maharashtra Assembly unanimously passes resolution on border row with Karnataka

સીમા વિવાદ: કર્ણાટક સાથેના સરહદ વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠરાવ પસાર, આટલા ગામોને મહારાષ્ટ્રમાં જોડવા લડાશે કાનૂની લડાઈ

News Continuous Bureau | Mumbai

આઝાદીની 75મી વર્ષગાંઠના(75th Independence Anniversary) અવસર પર મહારાષ્ટ્ર સરકારે(Government of Maharashtra) રાજ્યના તમામ લોકોને રાષ્ટ્રગીત(National Anthem) ગાવાની અપીલ કરી છે. સરકારના પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય(Ministry of Tourism and Cultural Affairs Govt) દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત(Amrit Mohotsav of Independence) 17 ઓગસ્ટ, બુધવારના રોજ સ્વરાજ્ય મહોત્સવ(Swarajya Mohotsav) ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત બુધવારે સવારે 11 વાગ્યે રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ(Government offices) અને સરકારી-બિન-સરકારી શાળા-કોલેજોમાં(Government-Non-Government Schools-Colleges) રાષ્ટ્રગીત ‘જન-ગણ-મન’(Jana-gana-mana') એક સાથે ગાવામાં આવશે. વિભાગના સચિવ સૌરભ વિજય દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રગીતનું ગાન સવારે 11 વાગ્યાથી 11.01 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવું જોઈએ. ખાનગી સંસ્થાઓ અને વેપારીઓની સાથે કેન્દ્ર સરકાર હેઠળના અન્ય સરકારી વિભાગોને પણ તેમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત ગાવા માટે ખુલ્લા મેદાનમાં ભેગા થવા સૂચના આપવામાં આવી છે. 

  આ સમાચાર પણ વાંચો :  વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ

ઉલ્લેખનીય છે કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કેન્દ્ર સરકારે(Central Govt) ઘણા વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આમાં હર ઘર તિરંગા(Har Ghar Triranga campaign) નું અભિયાનહર ઘર તિરંગા નું અભિયાન પણ સફળ રહ્યું છે. આ અભિયાન હેઠળ સરકારે 13 થી 15 ઓગસ્ટની વચ્ચે દેશના લગભગ 20 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. દેશના સામાન્ય લોકો સહિત રાજકારણીઓ અને અભિનેતાઓએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version