Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ગુજરાતી-રાજસ્થાનીવાળા નિવેદન પર વિવાદ વકર્યો- ગવર્નરે આપી આ સ્પષ્ટતા

Bandh against Maharashtra Governor Bhagat Singh Koshyari

Maharashtra Politics : રાજ્યપાલ સામે પ્રથમ હડતાલ 'આ' શહેરમાં, 'આ' તારીખે બોલાવવામાં આવશે!

News Continuous Bureau | Mumbai

ગત થોડા દિવસોથી શાંત થયેલા મહારાષ્ટ્ર(Maharashtra Politics)ના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ના નિવેદન બાદ રાજ્યભરમાં તેમનો વિરોધ થઇ રહ્યો છે. દરમિયાન તેમણે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા(Clarifaction on statement) કરી છે. 

Join Our WhatsApp Community

રાજ્યપાલે તેમના નિવેદન પર સ્પષ્ટતા આપતાં કહ્યું કે, મુંબઇ(Mumbai) મહારાષ્ટ્રનું ગૌરવ છે. આ દેશની આર્થિક રાજધાની(Economic capital of India) પણ છે. મને ગર્વ છે કે મને છત્રપતિ શિવાજી મહારાજ(Chhatrapati Shivaji Maharaj) અને મરાઠી જનતાની આ ધરતી પર રાજ્યપાલના રૂપમાં સેવા કરવાની તક મળી. તેના લીધે મેં ખૂબ ઓછા સમયમાં જ મરાઠી શીખવાનો પ્રયત્ન કર્યો. 

આ સમાચાર પણ વાંચો : બાબાસાહેબ આંબેડકર ના પૌત્ર આવ્યા ભગતસિંહ કોશિયારીની વાહરે- કહ્યું સાચું બોલ્યા તો

તેમણે આગળ કહ્યું કે કાલે રાજસ્થાની સમાજ(Rajasthani society)ના કાર્યક્રમમાં મેં જે નિવેદન આપ્યું હતું, તેમાં મારો ઇરાદો મરાઠી માણસોને ઓછા આંકવાનો ન હતો, મેં ફક્ત ગુજરાતી અને રાજસ્થાની મંડળો દ્વારા ધંધામાં આપેલા યોગદાનની વાત કરી. મરાઠી લોકોએ મહેનત કરી મહારાષ્ટ્રનું નિર્માણ કર્યું. એટલા માટે આજે ઘણા મરાઠી બિઝનેસમેન પ્રસિદ્ધ છે. એટલા માટે મરાઠી લોકોના યોગદાનને ઓછું આંકવાનો સવાલ ઉદભવતો જ નથી. 

વધુમાં ભગત સિંહે કહ્યું કે હંમેશાની માફક મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નિર્માણમાં મરાઠી લોકોની મહેનતનું સૌથી વધુ યોગદાન છે. તાજેતરમાં રાજકીય ચશ્માના માધ્યમથી બધુ જોવાની દ્રષ્ટિ વિકસિત થઇ છે, આપણે તેને બદલવી પડશે. એક સમુદાયના વખાણ કરવાનો અર્થ બીજા સમુદાયનું અપમાન નથી. રાજકીય પક્ષોએ તેના પર કારણ વિના વિવાદ ઉભો કરવો ન જોઈએ.  

આ સમાચાર પણ વાંચો : મંત્રી મંડળ બનતા પહેલાં જ શિંદે સરકારને વાંકુ પડ્યું- ગર્વનરની વિરુદ્ધમાં કેન્દ્રને પત્ર લખવામાં આવશે

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version