Site icon News Continuous Bureau | Mumbai

બેલગામ મુદ્દે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના ઝઘડા પછી હવે ગુજરાત સાથે પણ બોર્ડર બાબતે અણબનાવ.. બોર્ડર ની માપણી થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

ઉદ્ધવ સરકારને કોઈની સાથે ફાવતું નથી. બેલગામ ના મુદ્દે કર્ણાટક સાથે ઝઘડો કર્યો હવે ગુજરાત સાથે બોર્ડર વિવાદ પેદા થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સાથે પહેલેથી જ સંબંધ ખરાબ છે. આમ તમામ પાડોશીઓ સાથે ઝગડા કરનાર એવી મોજુદા સરકારે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ગામડાઓનો સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. આ સર્વે માટે વલસાડની કલેકટર કચેરીએ પણ પરવાનગી આપી દીધી છે. વાત એમ છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સીમા પર વેવજી, ગીર ગાવ, ગીમાણીયા, જાઇ, સંભા અને ઉચ્છાડ આ તમામ ગ્રામ પંચાયતમાં સરહદ મામલે વાદવિવાદ થયો. અમુક લોકોનું કહેવું છે કે આ ગામની હદમાં અમુક સરવેનંબર એવા છે જે ગુજરાતના સર્વેમાં પણ દેખાડવામાં આવે છે. આથી આ જમીનના મહેસૂલ પ્રશ્નો નિર્માણ થવા માંડયા છે.

આખરે આ સમગ્ર મામલે બન્ને રાજ્યનાં કલેક્ટરો વચ્ચે ચર્ચા થઈ અને ગામડાઓના ફરી એક વખત સર્વે કરવાનો નિર્ણય થયો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ થયેલ આજે અનેક દશક થઈ ગયા છે. તેમ છતાંય આવા મુદ્દાઓ ટેબલ પર આવે છે એ શરમજનક કહેવાય.

Bihar NDA Reservation Tussle અનામત મુદ્દે આમનેસામને જીતન રામ માંઝી અને ચિરાગ પાસવાન, રાજીનામાની માંગથી બિહાર એનડીએની રાજનીતિ ગરમાઈ..
Maharashtra SIR draft મહારાષ્ટ્રમાં SIR ડ્રાફ્ટ વોટર લિસ્ટ આજે જાહેર, ઘરે બેઠા નામ ચેક કરો
Kaushambi Firecracker Blast કૌશામ્બીના ફટાકડાના ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ, ૭ લોકોના મોત; અનેક મકાનો ધરાશાયી
Ankit Baliyan Murder Case અંકિત બાલિયાન મર્ડર કેસમાં મોટું એક્શન! જિમ બહાર હત્યાના ૫ જ દિવસમાં પોલીસે બે મુખ્ય શૂટરોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા
Exit mobile version