Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત

મુંબઈ : મહારાષ્ટ્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. સાંસ્કૃતિક બાબતોના મંત્રી એડવોકેટ આશિષ શેલાર એ રાજ્યભરના 500 મંદિરો, 60 રાજ્ય-સંરક્ષિત કિલ્લાઓ અને 1,800 વાવ ના સંરક્ષણ માટે એક વિસ્તૃત યોજના તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

Maharashtra heritage conservation મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન મંદિર-કિલ્લાઓ માટે

Maharashtra heritage conservation મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન મંદિર-કિલ્લાઓ માટે

News Continuous Bureau | Mumbai

Maharashtra heritage conservation મુંબઈ : મહારાષ્ટ્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. સાંસ્કૃતિક બાબતોના મંત્રી એડવોકેટ આશિષ શેલાર એ રાજ્યભરના 500 મંદિરો, 60 રાજ્ય-સંરક્ષિત કિલ્લાઓ અને 1,800 વાવ ના સંરક્ષણ માટે એક વિસ્તૃત યોજના તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.
આ યોજના વારસાના સ્થળોના સંરક્ષણ, પુનઃસ્થાપના અને પ્રવાસીઓની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રોજેક્ટ માટે પુરાતત્ત્વ વિભાગ ને મેત્રી (Maitree) સંસ્થાના સહયોગથી નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પુણે, છત્રપતિ સંભાજી નગર અને નાશિક — આ ત્રણ જિલ્લાઓ માટે વારસાગત સંરક્ષણ માટે એક સંકલિત માસ્ટર પ્લાન તૈયાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રી એડવોકેટ આશિષ શેલાર ના અધ્યક્ષસ્થાને મંત્રાલયમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં મેત્રીના સીઈઓ પ્રવીણ પરદેશી, સાંસ્કૃતિક બાબતોના સચિવ કિરણ કુલકર્ણી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મંત્રી આશિષ શેલારે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રને ઇતિહાસ અને વારસાનો ભવ્ય વારસો મળ્યો છે. આપણા મંદિરો, કિલ્લાઓ અને વાવ આપણું ગૌરવ છે. તેથી, તેમના જતન અને સંરક્ષણ માટે સુવ્યવસ્થિત અને સમયબદ્ધ યોજનાની જરૂર છે.”
તેમણે નિર્દેશ આપ્યો કે, રાજ્ય-સંરક્ષિત સ્મારકોની સાથે-સાથે 350 બિન-સંરક્ષિત કિલ્લાઓનો પણ આ યોજનામાં સમાવેશ થવો જોઈએ. સંરક્ષણના કામો માટે પૂરતું ભંડોળ ફાળવવું જોઈએ અને જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ના વિકલ્પ પણ ચકાસવા જોઈએ. જરૂર પડે તો ખાનગી સહભાગિતા માટે સમર્પિત નીતિ પણ ઘડવામાં આવશે.
આ યોજનાના વ્યવસ્થિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા અમલ માટે ઇતિહાસ, સ્થાપત્ય, પુરાતત્ત્વ, સંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોને સામેલ કરવામાં આવશે. આ હેતુસર, એક પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU) ની સ્થાપના કરવામાં આવશે, જેના માટે ખુલ્લી જાહેરાત દ્વારા ચાર કરાર આધારિત અધિકારીઓની નિમણૂક કરાશે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે આ સમિતિને 15 ડિસેમ્બર પહેલા ઔપચારિક રીતે બનાવવામાં આવે
પુણે, છત્રપતિ સંભાજી નગર અને નાસિક જિલ્લામાં ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અને સાંસ્કૃતિક પ્રમોશન માટે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ (DMOs) ની સ્થાપનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
દરેક જિલ્લા માટે સંરક્ષણ, જાળવણી અને પ્રવાસનને વેગ આપવા માટે એક સંકલિત યોજના તૈયાર કરવામાં આવશે. આગામી બે વર્ષમાં વિસ્તૃત યોજનાઓ તૈયાર થયા બાદ, હાલના PPP મોડલ, સરકારી બજેટ અને જો જરૂરી હોય તો વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવશે. મેત્રી આ ભંડોળની વ્યવસ્થા માટે રોડમેપ તૈયાર કરવામાં સરકાર અને પુરાતત્ત્વ વિભાગને મદદ કરશે.
મંત્રી આશિષ શેલારે વધુમાં નિર્દેશ આપ્યો કે આ યોજનાઓ તૈયાર થઈ રહી હોય ત્યાં સુધી, માર્ચ સુધીમાં અમલનો પ્રથમ તબક્કો શરૂ થવો જોઈએ. આમાં 15 પસંદગીના હેરિટેજ સ્થળોનો સમાવેશ થવો જોઈએ, જેમાં 5 વાવ, 5 મંદિરો અને 5 કિલ્લાઓને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ માળખા હેઠળ આવરી લેવામાં આવશે અને તે મુજબ ભંડોળ એકત્ર કરવામાં આવશે.
મંત્રી આશિષ શેલારે જણાવ્યું કે, “મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકાર, સાંસ્કૃતિક બાબતોનો વિભાગ, પુરાતત્ત્વ વિભાગ અને મેત્રીના સહયોગથી તૈયાર કરવામાં આવેલો આ વ્યાપક વારસો સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્લાન મહારાષ્ટ્રમાં વ્યવસ્થિત વારસાના જતન તરફનું એક મોટું પગલું છે.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે

છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના 11 કિલ્લાઓ અને તમિલનાડુના એક કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવેશ કર્યા પછી, રાજ્ય હવે આ સંકલિત માસ્ટર પ્લાન દ્વારા તેના સાંસ્કૃતિક ખજાનાને સુરક્ષિત રાખવાના મોટા મિશન પર આગળ વધી રહ્યું છે.
મંત્રીઆશિષ શેલારે નાગરિકો, વારસા અને પ્રવાસન ઉત્સાહીઓ તેમજ કિલ્લાઓ અને સાંસ્કૃતિક સંરક્ષણમાં સામેલ સંસ્થાઓને આ સ્મારક પહેલ માટે તેમનો સહયોગ અને માર્ગદર્શન આપવા અપીલ કરી છે.

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version