Site icon News Continuous Bureau | Mumbai

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!

મહારાષ્ટ્રમાં એક એવી આધુનિક ટેકનોલોજી આવવાના સંકેત છે જે તૈયાર ખોરાક, ફળો, શાકભાજી અને દૂધની બનાવટોનું આયુષ્ય 6 થી 8 મહિના સુધી વધારી શકે છે.

Perishable Food મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હ

Perishable Food મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હ

News Continuous Bureau | Mumbai

Perishable Food ખેડૂતોનો માલ બગડી જવો, શાકભાજી-દૂધ-દૂધની બનાવટો ઝડપથી બગડી જવી, બજારમાં અચાનક ભાવ ગગડી જવા… આ તમામ સમસ્યાઓનો આખરે ઉકેલ આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. ટૂંક સમયમાં ભારતમાં એક એવી આધુનિક ટેકનોલોજી આવવાની છે, જે રોટલી જેવા તૈયાર ખોરાકથી લઈને ફળો, શાકભાજી, દૂધની બનાવટો સુધીની તમામ નાશવંત વસ્તુઓનું આયુષ્ય થોડા દિવસો નહીં પણ છ થી આઠ મહિના સુધી વધારી શકે છે! આ સિસ્ટમથી ખોરાકની તાજગી, પોષકતા અને ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેશે. દર વર્ષે કરોડો રૂપિયાના અનાજના જથ્થાનું નુકસાન થતું હોય, ત્યારે મહારાષ્ટ્રમાં આ ટેકનોલોજીની ક્રાંતિ આવવાના સમાચારથી ખેડૂતો, ગ્રાહકો અને ખાદ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્સુકતા જાગી છે.

Join Our WhatsApp Channel

વિદેશમાંથી આધુનિક ટેકનોલોજીની આયાત

આ અત્યાધુનિક વિચારનો ઉદ્દભવ વિદેશમાં થયો છે અને તેની આયાત માટે અન્ન અને ઔષધ પ્રશાસન વિભાગે જાપાન અને જર્મનીની નામાંકિત સરકારી તેમજ ખાનગી કંપનીઓ સાથે ચર્ચા શરૂ કરી છે. અનુમાન છે કે આ ટેકનોલોજી બજારમાં માલની તંગી, માલનું નુકસાન, ભાવમાં વધઘટ અને ખેડૂતોના આર્થિક નુકસાન પર મોટી અસર કરશે.

મંત્રી નરહરિ ઝિરવળનો જર્મની પ્રવાસ અને અભ્યાસ

સૌથી મોટા સમાચાર એ છે કે અન્ન અને ઔષધ પ્રશાસન મંત્રી નરહરિ ઝિરવળે તાજેતરમાં જ જર્મનીનો પ્રવાસ કરીને આ ટેકનોલોજીનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે પોતે આ બાબતની પુષ્ટિ કરી છે અને માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો : EV Car: EV કાર ચાલકો માટે ખુશખબર! ચાર્જિંગ સ્ટેશનની ચિંતા સમાપ્ત, હવે ગાડીનું ચાર્જિંગ રસ્તા પર જ

ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે

મંત્રી ઝિરવળે જણાવ્યું કે, “ટૂંક સમયમાં આ ટેકનોલોજી માટે સમજૂતી કરાર થવાનો છે અને મહારાષ્ટ્રમાં પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પહેલથી ખેડૂતોથી લઈને ગ્રાહકો સુધી સૌને ફાયદો થશે.”

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version