Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત.. જાણો શું કહ્યું સુશિલ કુમાર શિંદેએ..વાંચો વિગતે અહીં.

Maharashtra Politics: મહારાષ્ટ્રના પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મંગળવારે એક કાર્યક્રમમાં પોતાની રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતા સુશીલ શિંદેએ કહ્યું કે મારી પુત્રી 2024ની ચૂંટણી લડશે…

Maharashtra Politics A stir in Maharashtra politics, former Union Home Minister Sushil Kumar Shinde's announcement of retirement from active politics….

Maharashtra Politics A stir in Maharashtra politics, former Union Home Minister Sushil Kumar Shinde's announcement of retirement from active politics….

News Continuous Bureau | Mumbai 

Maharashtra Politics: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસ ( Congress ) ના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ (Sushil Kumar Shinde) એ સક્રિય રાજકારણમાંથી ( Politics ) નિવૃત્તિ ( Retirement ) લેવાની જાહેરાત કરી છે. મંગળવારે એક કાર્યક્રમમાં પોતાની રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતા સુશીલ શિંદેએ કહ્યું કે મારી પુત્રી ( Praniti Shinde ) 2024ની ચૂંટણી ( 2024 Election ) લડશે અને જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હું તેની સાથે હાજર રહીશ.

Join Our WhatsApp Channel

તમને જણાવી દઈએ કે પરિણિતી શિંદે ત્રણ વખત સોલાપુર ( Solapur ) થી ધારાસભ્ય રહી ચૂકી છે અને તે 2024માં લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે ત્રણ વખત સોલાપુર સીટથી સાંસદ રહી ચૂક્યા છે. એટલું જ નહીં શિંદે તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન, કેન્દ્રીય ઉર્જા પ્રધાન, લોકસભામાં ગૃહના નેતા જેવા ઘણા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે અને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મોટા પુત્ર અને પૂર્વ સાંસદ નિલેશ રાણે ( Nilesh Rane ) એ પણ ટ્વીટ કરીને સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ભાજપના જયસિદ્ધેશ્વર સ્વામી સામે કોંગ્રેસના ધારાસભ્ય પ્રણિતી શિંદેના નામની ખૂબ ચર્ચા….

મંગળવારે વિજયાદશમીના અવસર પર એક કાર્યક્રમમાં સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે હવે તેમની પુત્રી પ્રણિતી શિંદે સોલાપુરથી લોકસભા ચૂંટણી લડશે. શિંદેએ સોલાપુરમાં ધમ્મ ચક્ર કાર્યક્રમમાં આ વાત કહી હતી. સુશીલ કુમાર શિંદેની 42 વર્ષની પુત્રી પ્રણિતી શિંદે પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીની ખાસ આમંત્રિત સભ્ય છે. આ પહેલા એક કાર્યક્રમમાં પ્રણિતી શિંદેએ કહ્યું હતું કે પાર્ટી અમને જે પણ જવાબદારી સોંપશે અમે તેને નિભાવીશું. તેમણે લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ભલે ગમે તે થાય, સોલાપુરમાંથી સાંસદ કોંગ્રેસના જ હશે.

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી 26 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.

સોલાપુર લોકસભા બેઠકની વાત કરીએ તો હાલમાં ભાજપના ડૉ.જયસિદ્ધેશ્વર શિવચાર્ય સાંસદ છે. 2019ની ચૂંટણીમાં ડો. જયસિદ્ધેશ્વર શિવચાર્યએ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને હરાવ્યા હતા. સુશીલ કુમાર શિંદેએ ચૂંટણી પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે સમયે આ તેમની છેલ્લી ચૂંટણી છે. સોલાપુરથી પ્રકાશ આંબેડકર અને ભાજપ (BJP) તરફથી ડો. જયસિદ્ધેશ્વર શિવચાર્ય મેદાનમાં હતા, તેથી સુશીલ કુમાર શિંદે ચૂંટણી જીતી શક્યા ન હતા. છેલ્લા કેટલાક દિવસોથી સોલાપુરથી ભાજપના જયસિદ્ધેશ્વર સ્વામી સામે કોંગ્રેસના ધારાસભ્ય પ્રણિતી શિંદેના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Ek Rakhi Desh Ke Jawano Ke Naam ‘એક રાખી દેશ કે જવાનો કે નામ’ ગુજરાતની આંગણવાડી બહેનોએ સરહદના વીર જવાનો માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી
MNS Warning Auto Drivers મનસેનું આખરી અલ્ટીમેટમ ‘આ છેલ્લી નમ્ર વિનંતી છે’, દાદાગીરી કરતા અમરાઠી રિક્ષા ચાલકો સામે આકરા પગલાંની ચીમકી…
Ladki Bahin Yojana Fund Diversion લાડકી બહેન યોજના માટે નાણાંની તંગી? મહિલાબાળ વિકાસ વિભાગને અપાયુ અન્ય વિભાગનું ફંડ
TMC Rebel Leaders SC Notice તૃણમૂલ કોંગ્રેસના બાગી નેતાઓને મોટો આંચકો, અભિષેક બેનર્જીની અરજી પર સુપ્રીમ કોર્ટે જારી કરી નોટિસ
Exit mobile version