News Continuous Bureau | Mumbai
Bahujan Vikas Aaghadi Shivsena Merge। મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની વિધાન પરિષદ (Vidhan Parishad Election 2026) ની ૧૭ બેઠકો માટે આગામી ૧૮ જૂનના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણી પહેલા સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના રાજકારણમાંથી એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. વસઈવિરાર વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા હિતેન્દ્ર ઠાકુરની પાર્ટી ‘બહુજન વિકાસ આઘાડી’ (BVA) ટૂંક સમયમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં વિલીન થઈ શકે છે. પક્ષના વોટ બેંક અને ભૌગોલિક પ્રભાવને વધારવા માટે સીએમ શિંદેએ આ સ્માર્ટ રાજકીય ચાલ ચાલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
રવીન્દ્ર ફાટકને બદલે ક્ષિતિજ ઠાકુરને મળી શકે છે ટિકિટ
રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બહુજન વિકાસ આઘાડીના વરિષ્ઠ નેતા હિતેન્દ્ર ઠાકુર અને તેમના ધારાસભ્ય પુત્ર ક્ષિતિજ ઠાકુર સમક્ષ એક મોટી ઓફર મૂકી છે. આ પ્રસ્તાવ હેઠળ, જો બહુજન વિકાસ આઘાડી પક્ષ શિવસેનામાં વિલીન થાય છે, તો શિવસેના પોતાના ક્વોટામાંથી થાણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની વિધાન પરિષદ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય રવીન્દ્ર ફાટકને બદલે ક્ષિતિજ ઠાકુર (Kshitij Thakur) ને ઉમેદવાર બનાવશે. થોડા દિવસો પહેલાં જ બચ્ચુ કડુની ‘પ્રહાર જનશક્તિ પાર્ટી’ નું પણ આ જ ફોર્મ્યુલા હેઠળ શિવસેનામાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું અને બદલામાં બચ્ચુ કડુને ટિકિટ આપવામાં આવી હતી.
૨ વર્ષથી ખાલી પડેલી બેઠકો પર યોજાશે ચૂંટણી
મહારાષ્ટ્ર રાજ્યમાં લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ ન યોજાવાને કારણે વિધાન પરિષદ (MLC) ની આ ૧૭ બેઠકો છેલ્લા અઢી વર્ષથી ખાલી પડી હતી, જ્યાં નિયમ મુજબ ૭૫ ટકા મતદારો ઉપલબ્ધ હોવાથી હવે ચૂંટણી યોજી શકાય છે.આ બેઠકોની પક્ષવાર વિગત જોઈએ તો, ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે સૌથી વધુ ૭ બેઠકો હતી, જેમાં સોલાપુરથી પ્રશાંત પરિચારક, જળગાંવથી ચંદુભાઈ પટેલ, ભંડારા-ગોંદિયાથી પરિણય ફુકે, વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલીથી રામદાસ આંબટકર, અમરાવતીથી પ્રવિણ પોટે, ધારાશિવ-લાતુર-બીડથી સુરેશ ધસ અને નાગપુર બેઠક પરથી ચંદ્રશેખર બાવનકુળે પ્રતિનિધિત્વ કરતા હતા.જ્યારે અવિભાજિત શિવસેના પાસે ૫ બેઠકો હતી, જેમાં થાણેથી રવીન્દ્ર ફાટક, યવતમાળથી દુષ્યંત ચતુર્વેદી, નાશિકથી નરેન્દ્ર દરાડે, પરભણી-હિંગોલીથી વિપ્લવ બાજોરિયા અને છત્રપતિ સંભાજીનગર-જાલના બેઠક પરથી અંબાદાસ દાનવે ધારાસભ્ય હતા.નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) હસ્તક ૩ બેઠકો હતી, જેમાં અહલ્યાનગર (અહમદનગર) થી અરુણકાકા જગતાપ, પુણેથી અનિલ ભોસલે અને રાયગઢ-રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી અનિકેત તટકરે ચૂંટાયા હતા. આ સિવાય, બાકીની ૨ બેઠકો કોંગ્રેસ પક્ષ પાસે હતી, જેમાં સાંગલી-સાતારાથી મોહનરાવ કદમ અને નાંદેડ બેઠક પરથી અમર રાજૂરકર ધારાસભ્ય તરીકે કાર્યરત હતા.
વિધાન પરિષદ ચૂંટણીનો સંપૂર્ણ સત્તાવાર કાર્યક્રમ જાહેર
મહારાષ્ટ્ર વિધાન પરિષદની આ તમામ ૧૭ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ નીચે મુજબના ક્રમમાં યોજાશે:
ચૂંટણીની સત્તાવાર જાહેરાત (નોટિફિકેશન): ૨૫ મે ૨૦૨૬
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: ૦૧ જૂન ૨૦૨૬
ઉમેદવારી પત્રોની ચકાસણી (સ્ક્રુટિની): ૦૨ જૂન ૨૦ kaks૬
નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ: ૦૪ જૂન ૨0૨૬
મતદાનની તારીખ અને સમય: ૧૮ જૂન ૨0૨૬ (સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી)
મતગણતરી અને પરિણામ: ૨૨ જૂન ૨0૨૬
હવે સમગ્ર મહારાષ્ટ્રના રાજકીય વિશ્લેષકોની નજર હિતેન્દ્ર ઠાકુરના અંતિમ નિર્ણય પર ટકેલી છે કે તેઓ શિંદેની આ ઓફર સ્વીકારે છે કે નહીં.
👉 આ સમાચાર વાચો:
Gold Silver Price Today| અમેરિકાઈરાન સંકટ વચ્ચે સોનાચાંદીના ભાવ તૂટ્યા, ચાંદીમાં પણ થયો રેકોર્ડબ્રેક ઘટાડો
