Site icon

Maharashtra Politics: એનસીપી સુપ્રીમો શરદ પવારની મોટી કાર્યવાહી, આ નેતાને NCPની કાર્યકારી સમિતિમાંથી હટાવ્યા.. જાણો શું છે સમગ્ર મામલો..

Maharashtra Politics: એનસીપીના વડા શરદ પવારે એક મોટી કાર્યવાહી કરી છે, તેમણે અનુશાસનહીનતાને કારણે પાર્ટીના નેતાને કાર્યકારી સમિતિમાંથી હટાવી દીધા છે.

Ajit Pawar is our leader, there is no reason to say split because he took a different decision: Sharad Pawar

Ajit Pawar is our leader, there is no reason to say split because he took a different decision: Sharad Pawar

News Continuous Bureau | Mumbai  
Maharashtra Politics:રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે આજે (8 ઓગસ્ટ) પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય થોમસ કે થોમસને તેની કાર્યકારી સમિતિમાંથી હટાવ્યા છે. પવારે ગંભીર અનુશાસનહીનતાને ટાંકીને આ મોટી કાર્યવાહી કરી છે.

થોમસ કેરળ વિધાનસભામાં કુટ્ટનાડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. NCP કેરળમાં શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)નો ભાગ છે. એનસીપીએ પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ આ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે એક દિવસ પહેલા થોમસે રાજ્યના પોલીસ વડાને તેમના પોતાના પક્ષના કેટલાક સભ્યો તરફથી તેમના જીવને કથિત ખતરો હોવાની ફરિયાદ કરી હતી.

Join Our WhatsApp Community

શરદ પવારે થોમસને પત્ર લખ્યો હતો

મીડિયા રિપોર્ટ અનુસાર, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ પીસી ચાકોએ થોમસના આરોપોને ફગાવી દીધા અને તેને મૂર્ખામીભર્યો ગણાવ્યો. તે જ સમયે, પવારે થોમસને મોકલેલા પત્રમાં લખ્યું છે કે અખિલ ભારતીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષની સત્તાનો ખુલ્લેઆમ અવગણના કરીને અને પક્ષના સભ્યો પર બેજવાબદાર આરોપો લગાવીને લોકતાંત્રિક મોરચામાં પાર્ટીની છબી ખરાબ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Kerala Assembly UCC: આ રાજ્યની વિધાનસભામાં UCC વિરુદ્ધ સર્વસંમતિથી ઠરાવ પાસ, CMએ કહ્યું- કેન્દ્રએ ઉતાવળમાં પગલું ભર્યું…

શરદ પવારે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં પોતાના પદનો દુરુપયોગ કરીને ખોટી ફરિયાદો દાખલ કરવાથી લોકોમાં સારો સંકેત નથી મળી રહ્યો. તમારી તરફથી ગંભીર અનુશાસનને ધ્યાનમાં રાખીને, હું તમને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિમાંથી દૂર કરું છું.

શું હતું ધારાસભ્ય થોમસનું નિવેદન

NCP ધારાસભ્ય થોમસે સોમવારે કહ્યું કે તેમણે રાજ્યના પોલીસ વડાને ફરિયાદ નોંધાવી છે કે પાર્ટીના કેટલાક સભ્યો તેમને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે જેથી અલપ્પુઝાની કુટ્ટનાડ બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવે, જેનું તેઓ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરે છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version