Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Politics : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શરદ પવારે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા; મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું…

Maharashtra Politics : NCP પ્રમુખ શરદ પવાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાત સંસદ ભવન સ્થિત પીએમ ઓફિસમાં થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે.

Maharashtra Politics Sharad Pawar meets PM Modi in Parliament over pomegranate farmers' concerns

Maharashtra Politics Sharad Pawar meets PM Modi in Parliament over pomegranate farmers' concerns

 News Continuous Bureau | Mumbai

 Maharashtra Politics : દીલ્હીમાં બે નેતાઓની મુલાકાતના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ અચાનક ગરમાયું છે. NCP-SPના વડા શરદ પવાર આજે સંસદ ભવનમાં PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત હતી. પીએમ મોદી દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ માટે આવ્યા હતા, પરંતુ શરદ પવાર આવ્યા ન હતા. બેઠક બાદ શરદ પવારે કહ્યું કે તેમણે ખેડૂતોના મુદ્દા પર વડાપ્રધાન સાથે વાત કરી છે. 

Join Our WhatsApp Channel

 Maharashtra Politics : આ મુદ્દે વાતચીત કરી

 આ બેઠક બાદ પવારે કહ્યું કે તેમણે દાડમના ખેડૂતો વિશે વાત કરી. સૂત્રોએ જણાવ્યું કે પવારની સાથે સાતારાના બે ખેડૂતોએ પીએમને દાડમની ભેટ આપી હતી. જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે શું મહારાષ્ટ્રના રાજકારણ પર ચર્ચા થઈ? તો તેણે કહ્યું ના, એવું કંઈ થયું નથી.

પીએમ મોદી સાથે શરદ પવારની મુલાકાત એવા સમયે થઈ જ્યારે તાજેતરના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદનોમાં તણાવ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ સાથે શરદ પવારની પાર્ટી એનસીપી (એસપી) એમવીએમાં સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : NCP Chhagan Bhujbal: શું છગન ભુજબળ મહાયુતિ છોડશે? MVA પણ આવકારવા તૈયાર, આજે લઈ શકે છે મોટો નિર્ણય

 Maharashtra Politics : વન નેશન, વન ઇલેક્શન પર NCP (SP)નું શું વલણ છે?

શરદ પવારને વિપક્ષી છાવણીના મોટા નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન પીએમ મોદી સાથેની મુલાકાતને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મંગળવારે જ, NCP (SP) એ વન નેશન, વન ઇલેક્શન બિલનો વિરોધ કર્યો હતો. સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ રાજ્યસભામાં કહ્યું કે આ બિલ સંઘવાદની વિરુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે આ બિલ પાછું ખેંચી લેવું જોઈએ અથવા તેને જેપીસીમાં મોકલવું જોઈએ. લોકસભાએ વન નેશન, વન ઈલેક્શન બિલને ચર્ચા માટે જેપીસીને મોકલ્યું છે.

 

Raigad Police Ambergris Seizure રાયગઢ પોલીસની મોટી કાર્યવાહી, અલીબાગ નજીકથી 4 કરોડ રૂપિયાનું એમ્બરગ્રીસ જપ્ત
Nagpur Rain Update નાગપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદથી ચારેકોર જળબંબાકાર, શાળાના મેદાનો તળાવમાં ફેરવાયા!
Paper Leak Bill Discussion સંસદમાં આજે પેપર લીક બિલ પર મહામંથન, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ રજૂ કરી શકે છે પોતાનો મત
Rainwater Floods Luxury Cars Damaged અમદાવાદના જોધપુરમાં આફતનો વરસાદ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ઘૂસતા લાખોકરોડોની લક્ઝ્યુરિયસ ગાડીઓ જળમગ્ન
Exit mobile version