Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: આ બરોબર નથી’, CM અજિત પવાર પર આ મામલે ભડક્યાં દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રમાં ફરી ડખો.. જાણો સંપુર્ણ મામલો વિગતે..

Maharashtra Politics: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જૂથમાં જોડાવાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વાંધો વ્યક્ત કર્યો છે…

Maharashtra Politics This is not correct', Devendra Fadnavis lashed out at CM Ajit Pawar

Maharashtra Politics This is not correct', Devendra Fadnavis lashed out at CM Ajit Pawar

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિક ( Nawab Malik ) ડેપ્યુટી સીએમ અજિત પવાર ( Ajit Pawar ) ની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) જૂથમાં જોડાવાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે અજિત પવારને પત્ર ( letter ) લખીને કહ્યું કે નવાબ મલિકને મહાગઠબંધનમાં લેવા યોગ્ય નથી. ફડણવીસે આ પત્ર તેમના સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.

Join Our WhatsApp Community

પોતાના પત્રમાં ફડણવીસે લખ્યું છે કે, નવાબ મલિકને ગઠબંધનમાં લેવો યોગ્ય નથી. તેના પર જે પ્રકારના આરોપો છે. અમે માનીએ છીએ કે તેમને અમારી સાથે ગઠબંધનમાં લેવા યોગ્ય નથી. સત્તા આવે છે અને જાય છે પણ સત્તા કરતાં દેશ વધુ મહત્ત્વનો છે.

ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું, “નવાબ મલિક આજે વિધાનસભામાં આવ્યા હતા અને કામમાં ભાગ લીધો હતો. વિધાનસભાના સભ્ય હોવાના કારણે તેમને આ અધિકાર છે. હું સ્પષ્ટ કરી દઉં કે તેમની સામે અમારી કોઈ અંગત દુશ્મની કે ફરિયાદ નથી. પરંતુ જે રીતે તેમની સામે આક્ષેપો થયા છે.તે જોતા તેમને મહાગઠબંધનમાં લેવા યોગ્ય નથી. સત્તા આવે છે અને જાય છે પણ સત્તા કરતા દેશ મહત્વનો છે.જો તેમની સામેના આરોપો સાબિત નહીં થાય તો અમે તેમનું સ્વાગત કરવું કરીશું. પરંતુ અમારો સ્પષ્ટ અભિપ્રાય છે. કે આવા આરોપોના કિસ્સામાં, તેમને મહાગઠબંધનનો ભાગ બનાવવો યોગ્ય રહેશે નહીં. મને આશા છે કે તમે અમારી લાગણીઓ પર ધ્યાન આપશો.”

 નવાબ મલિકે ફેબ્રુઆરી 2022 થી ઓગસ્ટ 2023 સુધી જેલમાં સમય વિતાવ્યો…

તમને જણાવી દઈએ કે નવાબ મલિકે ફેબ્રુઆરી 2022 થી ઓગસ્ટ 2023 સુધી જેલમાં સમય વિતાવ્યો હતો અને હાલમાં તે સ્વાસ્થ્યના કારણોસર જામીન પર છે. અગાઉ અજિત પવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે મલિકને ફોન કરીને નાગપુરમાં સ્વાગત કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ એક વરિષ્ઠ નેતા છે જે આવી બાબતો પર પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે.

આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારણનું મોટું નિવેદન.. ચુંટણી પહેલા રજુ થશે બજેટ.. જાણો કેવું હશે આગામી વર્ષનું બજેટ..

તમને જણાવી દઈએ કે નવાબ મલિક ગુરુવારે સવારે વિધાનસભા સત્રમાં ( assembly session ) ભાગ લેવા માટે નાગપુર પહોંચ્યા હતા અને તેમણે વિધાનસભા સંકુલમાં અજિત પવારના જૂથના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ઘણા ધારાસભ્યોને મળ્યા અને તેમની સાથે હાથ મિલાવતા જોવા મળ્યા. તેઓ લગભગ બે વર્ષ પછી ગૃહમાં આવ્યા હતા.

શરદ પવાર જૂથ તરફથી આ પ્રતિક્રિયા આવી છે. વાસ્તવમાં, વિધાનસભા સત્ર શરૂ થયા પછી, તેઓ ગૃહમાં સત્તાધારી પક્ષ તરફ પાછળની બેંચ પર બેઠેલા જોવા મળ્યા હતા. આનાથી પુષ્ટિ થઈ છે કે તેણે અજિત પવારને સમર્થન આપ્યું હતું. જો કે, શરદ પવારના જૂથ NCPના વરિષ્ઠ નેતાઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, “નવાબ મલિક એક વરિષ્ઠ નેતા છે અને તેમણે તમામ પાસાઓને જોઈને નિર્ણય લીધો હશે.”

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Stock Market Live: શેરબજારમાં રોકાણકારોની લાગી લોટરી! સેન્સેક્સ 78,000 ની ઐતિહાસિક સપાટીએ, સંપત્તિમાં જંગી વધારો.
Samrat Chaudhary to create history: બિહારમાં ‘સમ્રાટ’ યુગની શરૂઆત: મુખ્યમંત્રી બનતાની સાથે જ નોંધાશે એવો રેકોર્ડ જે દાયકાઓથી અકબંધ હતો.
Gold Rate Today:સોનામાં ભડકો! હોર્મુઝ ટેન્શને વધાર્યા ભાવ, જાણો શું છે સોના-ચાંદીના નવા રેટ.
Exit mobile version