News Continuous Bureau | Mumbai
Maharashtra Rain Updates મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના ૧૫ જિલ્લાઓ માટે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. મુંબઈ, ઠાણે, રાયગઢ અને રત્નાગિરી સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડાના વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળશે. વિદર્ભ માં વીજળીના કડાકાભડાકા અને તેજ પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે, જ્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી દીધી છે.
Maharashtra Rain Updates – મુંબઈ-કોંકણમાં ભારે વરસાદની આશંકા અને વિદર્ભ માં વીજળીના કડાકાનું એલર્ટ
હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો જેવા કે ઠાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં આગામી કલાકોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે, સાતારા, કોલ્હાપુર, સાંગલી અને સોલાપુર જિલ્લાઓ માટે પણ ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્તર મહારાષ્ટ્રના નાસિક અને અહલ્યાનગરમાં મુસળધાર વરસાદની ચેતવણી છે. જ્યારે વિદર્ભ ના નાગપુર, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, વર્ધા અને યવતમાળ જિલ્લામાં તીવ્ર પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાવાની આશંકા હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
Maharashtra Rain Updates – સિંધુદુર્ગમાં વરસાદની સંતાકૂકડી વચ્ચે ખેડૂતોએ શરૂ કરી ડાંગરની રોપણી
દક્ષિણ કોંકણના સિંધુદુર્ગ જિલ્લામાં ચોમાસાના આગમન બાદ વરસાદે થોડી દડી મારી દીધી છે. છેલ્લા બે દિવસથી અહીં તડકો જોવા મળી રહ્યો છે, તેમ છતાં સ્થાનિક ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. કૃષિ નિષ્ણાતોના મતે ડાંગરના ધરૂ ઉગ્યાના ૨૧ દિવસની અંદર તેની રોપણી કરવી અનિવાર્ય છે, જો આ સમયગાળો વધી જાય તો પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે. આથી, ખેડૂતો અત્યારે વરસાદની વધુ રાહ જોયા વિના નદીઓમાંથી પંપ દ્વારા પાણી ખેંચીને ડાંગરની રોપણી પૂર્ણ કરવાના કામમાં વ્યસ્ત બન્યા છે જેથી પાકને નુકસાન ન થાય.
Maharashtra Rain Updates – લાતુરના ઉદગીર તાલુકામાં ખરીફ વાવણીની કામગીરી ઝડપી બની
મરાઠવાડાના લાતુર જિલ્લાના ઉદગીર તાલુકામાં બે દિવસ પહેલાં થયેલા સંતોષકારક વરસાદને કારણે ખરીફ સીઝનની કામગીરીએ જોર પકડ્યું છે. જમીનમાં પૂરતો ભેજ આવી જતાં ખેડૂતો ટ્રેક્ટર અને આધુનિક સાધનોની મદદથી સોયાબીન, તુવેર, મગ, અડદ અને બાજરી જેવા વિવિધ ખરીફ પાકોની વાવણી કરી રહ્યા છે. વરસાદના વિલંબને કારણે આ વર્ષે વાવણીની પ્રક્રિયા થોડી મોડી શરૂ થઈ હતી, પરંતુ તાજેતરના વરસાદથી ખેડૂતોમાં નવચેતનનો સંચાર થયો છે. કૃષિ વિભાગે પણ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને યોગ્ય ગુણવત્તાવાળા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
👉 આ સમાચાર વાચો:
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
