Site icon

Maharashtra Rains: યવતમાલમાં વરસાદે મચાવી તબાહી… 240 મીમી વરસાદ.. બેના મોત… હેલિકોપ્ટરની મદદથી 43 લોકોને બચાવાયા.. હાલની શું છે સ્થિતિ જાણો..

Maharashtra Rains: યવતમાલ જિલ્લામાં મધરાતથી વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં ખૂબ જ ઓછા સમયગાળામાં વિક્રમી વરસાદ થયો છે. જેમાં યવતમાલમાં 236 મીમી, મહાગાવમાં 231 મીમી, અરનીમાં 164 મીમી, ઘાટજીમાં 142 મીમી વરસાદ નોંધાયો છે

Maharashtra Rains: 240 mm rainfall in Yavatmal; Two died, 43 people were rescued with the help of a helicopter

Maharashtra Rains: યવતમાલમાં વરસાદે મચાવી તબાહી… 240 મીમી વરસાદ.. બેના મોત… હેલિકોપ્ટરની મદદથી 43 લોકોને બચાવાયા.. હાલની શું છે સ્થિતિ જાણો..

 News Continuous Bureau | Mumbai 

  Maharashtra Rains: સમગ્ર દેશમાં વરસાદ ચાલુ રહેતા મહારાષ્ટ્ર (Maharashtra) માં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેમાં શુક્રવારથી પડી રહેલા વરસાદને કારણે યવતમાલ જિલ્લા (Yavatmal District) ના મહાગાવ તાલુકામાં આનંદનગર ટાંડામાં પૂરના પાણી ભરાઈ જવાથી લગભગ 80 લોકો ફસાયા ગયા હતા. બે હેલિકોપ્ટરની મદદથી આ ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 43 લોકોને બચાવી લેવાયા છે.

Join Our WhatsApp Community

યવતમાલ જિલ્લામાં મધરાતથી વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં ખૂબ જ ઓછા સમયગાળામાં વિક્રમી વરસાદ થયો છે. જેમાં યવતમાલમાં 236 મીમી, મહાગાવમાં 231 મીમી, અરનીમાં 164 મીમી, ઘાટજીમાં 142 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે કલંબા, દરવા દિગ્રાસમાં સારો વરસાદ અને અન્ય તાલુકાઓમાં 90 મી.મી. કરતાં વધુ વરસાદ થયો છે જેમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે SDRFની બે ટીમોને બચાવ કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે.

યવતમાળમાં વાઘાડી નદીમાં પૂર આવતાં પૂરનું પાણી સીધું 50 થી 60 નાગરિકોના ઘરોમાં ઘૂસી ગયું હતું. નાગરિકોએ જીવ બચાવવા વૃક્ષોનો સહારો લીધો હતો. જિલ્લાના દરવા, નેર, ઘાટજી, પાંધરકવડા, ઉમરખેડ, બાભુલગાંવ-કલંબા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. મહાગાંવના પનગંગા શિરફૂલી, રાહુર ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. પૂર (Flood) ની સ્થિતિને કારણે કેટલાક લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. યવતમાળ તાલુકાના 3 હજાર 500, બાભુલગાંવ તાલુકાના 400, અરણીના 140, રાલેગાંવના 7, ઘાટજીના 500, દિગ્રાસના 400, દરવાના 250, નેરના 100 અને કલમ્બા તાલુકાના 20 એમ કુલ 5 હજાર 375 નાગરિકો માટે આશ્રયસ્થાનો ગોઠવવામાં આવ્યા હતા. અહીં વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિત અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રયસ્થાન માટે નોડલ અધિકારી (Nodal Officer) ની નિમણૂક કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Seema Haider: અક્ષય કુમાર, આલિયા ભટ્ટ દેશમાં રહી શકે છે, તો હું કેમ નહીં? સીમા હૈદરની રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી…

 પૂરના કારણે રસ્તાઓ બંધ, વીજ થાંભલા નમી ગયા

યવતમાલ જિલ્લામાં ચાલુ વરસાદને કારણે કલ્લબ, રાલેગાંવ, બાબુલગાંવ, નેર તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો. રાલેગાંવ તાલુકામાં વરસાદને કારણે સરટીથી ઝાડકીની રોડ પરના પુલ પરથી પાણી વહી જવાને કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ભારે વરસાદને કારણે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાએ મકાનો ધરાશાયી થયા છે અને વાઘાડી નદી પાસેની વસાહત પૂરથી ઘેરાઈ ગઈ છે. મકાન ધરાશાયી થવાથી એક મહિલાનું કચડાયને મોત થયું હતું.

  219 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

છેલ્લા 24 કલાકમાં યવતમાલમાં 240 મીમી વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. યવતમાલના કલેક્ટર (Yavatmal Collector) અમોલ યેગેએ માહિતી આપી હતી કે SDRF અને IAF હેલિકોપ્ટરની મદદથી વિવિધ વિસ્તારોમાં ફસાયેલા 219 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 કલેક્ટરની તંત્રને સતર્ક કરવા સૂચના

કલેક્ટર અમોલ યેગેએ સાંજે તમામ પેટા વિભાગીય અધિકારીઓ, તહસીલદાર અને સંબંધિત વિભાગના અધિકારીઓની ઓનલાઈન બેઠક યોજી હતી. આ પ્રસંગે તેમણે તાલુકાવાર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અસરગ્રસ્ત પરિવારોને સાનુગ્રહ ગ્રાન્ટ અને અનાજનું વિતરણ કરવા નિર્દેશ આપ્યો હતો. જો વાવાઝોડું ચાલુ રહેશે તો પરિસ્થિતિ ફરીથી બગડવાની સંભાવના હોવાથી દરેકને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે જ્યાં પાણી ઘૂસી જવાની શક્યતા હોય ત્યાંથી નાગરિકોને ખસેડવા માટે પગલાં લેવા જોઈએ.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version