Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હોમ ક્વોરન્ટીન ફરજિયાત કરાયું. જાણો બીજી વિગતો અહીં. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસથી આવતા પ્રવાસીઓએ છેલ્લા ૧૫ દિવસમાં તેમણે લીધેલા અન્ય દેશોની મુલાકાતની વિગતો જણાવતું ફોર્મ ભરવું પડશે. પ્રવાસી આ ફોર્મમાં ખોટી માહિતી જણાવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમો હેઠળ તેની સામે કાર્યવાહી કરાશે. એટ રિસ્ક દેશોએથી આવેલા પ્રવાસીઓને કદાચ વિમાનમાંથી અગ્રતા ક્રમે બહાર નીકળવા દેવાય અને તેમના ચેકિંગ માટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. તથા એરપોર્ટ આથોરિટી દ્વારા અલગ કાઉન્ટરોની વ્યવસ્થા કરાશે. આ પ્રવાસીઓના શાસકીય વ્યવસ્થા મુજબના ક્વોરન્ટીન ઉપરાંત આગમના બીજા, ચોથા અને સાતમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરવાના રહેશે એમ આદેશમાં જણાવ્યું હતું.વિશ્વભરમાં કોરોનાવાઇરસના નવા સ્વરૃપ ઓમિક્રોનનો ફેલાવો થઇ રહ્યો હોવાની સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આવેલા આંતરરાષ્ટ્રીય તેમજ આંતરદેશીય (અન્ય રાજ્યોના) પ્રવાસીઓના વિમાન પ્રવાસ (એર ટ્રાવેલ) સંબંધી આકરાં નિયંત્રણો જાહેર કર્યા છે. ભારત સરકારે જણાવ્યા મુજબના ઓમિક્રોનની  દ્રષ્ટિએ જાેખમકારક (એટરિસ્ક) દેશોએથી આવનારા પ્રવાસીઓ માટે શાસકીય વ્યવસ્થા મુજબના સાત દિવસના ક્વોરન્ટીનને ફરજીયાત કરતો આદેશ સરકારે જારી કર્યો છે. રાજ્યના નવ નિયુક્ત મુખ્ય સચિવ દેવાશિષ ચક્રવર્તીએ જારી કરેલા આ આદેશમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવનારા પ્રવાસીઓએ આગમનના ૪૮ કલાકમાં તેમનો આરટી- પીસીઆર ટેસ્ટ ફરજિયાતપણે નેગેટિવ હોવો જાેઇએ. જ્યારે એટ રિસ્ક સિવાયના દેશોએથી આવેલા પ્રવાસીઓએ પણ આરટી- પીસીઆર ટેસ્ટ ફરજીયાતપણે કરાવવો પડશે તથા ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન થવું પડશે. આ પ્રવાસીઓ પોઝિટીવ જણાશે તો તેમને હોસ્પિટલમાં ખસેડાશે.

Gujarat Independence Day Celebration ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રાજ્યભરમાં હાથ ધરાશે વ્યાપક સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
Supriya Sule NCP Sharad Pawar Statement “અસલી રાષ્ટ્રવાદી કોની?” સુપ્રિયા સુળેએ વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, પવાર સાહેબના વારસા પર કરી મોટી વાત
Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Exit mobile version