Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra: ચોંકવનાર..મહારાષ્ટ્રમાં 12 લાખ લોકો બન્યા આ બીમારીનો શિકાર.. જાણો વિગતે…

Maharashtra: ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની તપાસ માટે BMC ની 26 હોસ્પિટલોમાં ખોલવામાં આવેલા નોન-કમ્યુનિકેબલ ડિસીઝ કોર્નરમાં આવેલા 2.54 લાખ મુંબઈકરમાંથી 12 ટકા મુંબઈકરોમાં ખાંડનું પ્રમાણ ઊંચું હોવાનું જણાયું હતું…

Maharashtra Shocking.. 12 lakh people became victims of this disease in Maharashtra..

Maharashtra Shocking.. 12 lakh people became victims of this disease in Maharashtra..

News Continuous Bureau | Mumbai

Maharashtra: ડાયાબિટીસ ( Diabetes ) અને હાઈપરટેન્શન ( Hypertension ) ની તપાસ માટે BMCની 26 હોસ્પિટલોમાં ખોલવામાં આવેલા નોન-કમ્યુનિકેબલ ડિસીઝ ( NCD ) કોર્નરમાં આવેલા 2.54 લાખ મુંબઈકર માંથી 12 ટકા મુંબઈકરોમાં ખાંડનું પ્રમાણ ઊંચું હોવાનું જણાયું હતું. BMC હેલ્થ ડિપાર્ટમેન્ટ અનુસાર, 12 ટકા લોકોમાં સુગર લેવલ ( Sugar level ) 140 મિલિગ્રામ કરતાં વધુ જોવા મળ્યું હતું.

Join Our WhatsApp Community

BMCના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે ડાયાબિટીસથી પીડિત 50 ટકા લોકોને ખબર જ નથી કે તેમને લાંબા સમયથી ડાયાબિટીસ છે. લોકો એનસીડી કોર્નર્સ પર હોમ સ્ક્રીનીંગ અને સ્ક્રીનીંગ દ્વારા રોગ વિશે જાણતા હોય છે. તેથી, 30 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ડાયાબિટીસ અને હાયપરટેન્શન માટે નિયમિતપણે તપાસ કરાવવી જોઈએ.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, BMCના દવાખાનામાં દર મહિને 60 હજારથી 70 હજાર લોકોની ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની તપાસ કરવામાં આવે છે. BMC દવાખાનામાંથી લગભગ 50 હજાર લોકો નિયમિતપણે ડાયાબિટીસની દવાઓ લે છે. 2021માં BMC દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટેપ સર્વેમાં, 18 થી 69 વર્ષની વયના 18 ટકા લોકોમાં ફાસ્ટિંગ સુગર લેવલ 126 મિલિગ્રામ કરતાં વધુ હોવાનું જણાયું હતું.

5.70 ટકા પુરુષો અને 5.73 ટકા મહિલાઓ ડાયાબિટીસથી પીડિત…

મહારાષ્ટ્રમાં 11.95 લાખ લોકોને ખબર ન હતી કે તેમને ડાયાબિટીસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCD) પ્રોગ્રામને કારણે આ લોકોને તેમના ડાયાબિટીસ અને હાયપરટેન્શનની સ્થિતિ વિશે જાણ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મહિલાઓમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ પહેલાની સરખામણીએ વધી છે.

આ સમાચાર પણ વાંચોઃ Mumbai Police Gets Threat: સેમી ફાઇનલની મેચ પહેલા મુંબઈ પોલીસને મળી મોટી ધમકી.. પ્રશાસન એલર્ટ મોડમાં.. જાણો વિગતે..

એનસીડી પ્રોગ્રામ હેઠળ, વર્ષ 2021 થી રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. વર્ષ 2021 થી નવેમ્બર 2023 સુધીમાં રાજ્યમાં 2.09 કરોડ લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 11.95 લાખ લોકોમાં ડાયાબિટીસની પુષ્ટિ થઈ હતી. જેમાં 1.04 કરોડ પુરૂષો અને 1.05 કરોડ મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં 5.70 ટકા પુરુષો અને 5.73 ટકા મહિલાઓ ડાયાબિટીસથી પીડિત જોવા મળી હતી.

સંયુક્ત નિયામક NCD (પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ) ડૉ. વિજય બાવિસ્કરે જણાવ્યું હતું કે મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય, આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવાની જરૂર છે. બેઠાડુ જીવનશૈલી, જંક ફૂડ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને તણાવ એ ડાયાબિટીસના સૌથી મોટા કારણો છે. સ્ક્રીનીંગમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પરીક્ષણ અને સારવાર બંને મફત છે, તેથી લોકોએ પરીક્ષણ કરાવવું જોઈએ.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version