Site icon News Continuous Bureau

મહારાષ્ટ્રમાં વીજળી વિભાગનો પોકળ કારભાર, 70 હજાર કરોડની ઉધાર બાકી, હવે સરકાર ભરશે આ પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં વીજપુરવઠો કરનારી સૌથી મોટી કંપની મહાવિતરણને બહુ જલદી તાળાં લાગી જાય એવી શક્યતા નિર્માણ થઈ છે. મોટા પ્રમાણમાં સામાન્ય નાગરિક જ નહીં, પણ જુદાં જુદાં સરકારી ખાતાઓએ પણ  વીજળીનાં બિલ ચૂકવ્યાં નથી. મહાવિતરણે લગભગ 63 હજાર કરોડ રૂપિયા આ ડિફોલ્ટરો પાસેથી  વસૂલવાના છે. જો આ રીતે જ રકમ વધતી ગઈ તો બહુ જલદી મહાવિતરણને તાળાં લાગી જાય એ દિવસો દૂર નથી. ડિફોલ્ટરો દ્વારા પૈસા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યાં છે. એથી રકમ કરોડો રૂપિયામાં પહોંચી ગઈ છે. એને પગલે  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઊર્જા ખાતાની બેઠક બોલાવી છે. જેમાં આ રકમ લોકો પાસેથી કેવી રીતે વસૂલ કરવી? કયા ઉપાયો અમલમાં મૂકવા? જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

લૉકડાઉન દરમિયાન 1 એપ્રિલ, 2020થી 30 ઑક્ટોબર સુધીમાં મોટા ભાગના લોકોએ રકમ ચૂકવી નથી, જેમાં મોટા ભાગના સરકારી ખાતાઓ છે. તેથી આ એરિયર્સની રકમમાં 8 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

કમાલ છે! હવે ઝૂંપડપટ્ટીમાં પહેલા માળે ઘર ઘરાવનારને પણ અલગ ઝૂંપડું જાહેર કરાશે? રાજ્ય સરકારનું પૉઝિટિવ વલણ; જાણો વિગત

ઔદ્યોગિક ક્ષેત્ર પાસેથી 2,997 કરોડ રૂપિયા, વાણિજ્યના 822 કરોડ રૂપિયા, સાર્વજનિક પાણીપુરવઠા ખાતાના 2,258 કરોડ, કૃષિના 39,157, ઘરગથ્થુ 3,264 કરોડ રૂપિયા, સ્ટ્રીટ લાઇટના 6,279 કરોડ રૂપિયા તથા સાર્વજનિક સેવાના 235 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version