Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વીજળી વિભાગનો પોકળ કારભાર, 70 હજાર કરોડની ઉધાર બાકી, હવે સરકાર ભરશે આ પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં વીજપુરવઠો કરનારી સૌથી મોટી કંપની મહાવિતરણને બહુ જલદી તાળાં લાગી જાય એવી શક્યતા નિર્માણ થઈ છે. મોટા પ્રમાણમાં સામાન્ય નાગરિક જ નહીં, પણ જુદાં જુદાં સરકારી ખાતાઓએ પણ  વીજળીનાં બિલ ચૂકવ્યાં નથી. મહાવિતરણે લગભગ 63 હજાર કરોડ રૂપિયા આ ડિફોલ્ટરો પાસેથી  વસૂલવાના છે. જો આ રીતે જ રકમ વધતી ગઈ તો બહુ જલદી મહાવિતરણને તાળાં લાગી જાય એ દિવસો દૂર નથી. ડિફોલ્ટરો દ્વારા પૈસા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યાં છે. એથી રકમ કરોડો રૂપિયામાં પહોંચી ગઈ છે. એને પગલે  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઊર્જા ખાતાની બેઠક બોલાવી છે. જેમાં આ રકમ લોકો પાસેથી કેવી રીતે વસૂલ કરવી? કયા ઉપાયો અમલમાં મૂકવા? જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

લૉકડાઉન દરમિયાન 1 એપ્રિલ, 2020થી 30 ઑક્ટોબર સુધીમાં મોટા ભાગના લોકોએ રકમ ચૂકવી નથી, જેમાં મોટા ભાગના સરકારી ખાતાઓ છે. તેથી આ એરિયર્સની રકમમાં 8 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

કમાલ છે! હવે ઝૂંપડપટ્ટીમાં પહેલા માળે ઘર ઘરાવનારને પણ અલગ ઝૂંપડું જાહેર કરાશે? રાજ્ય સરકારનું પૉઝિટિવ વલણ; જાણો વિગત

ઔદ્યોગિક ક્ષેત્ર પાસેથી 2,997 કરોડ રૂપિયા, વાણિજ્યના 822 કરોડ રૂપિયા, સાર્વજનિક પાણીપુરવઠા ખાતાના 2,258 કરોડ, કૃષિના 39,157, ઘરગથ્થુ 3,264 કરોડ રૂપિયા, સ્ટ્રીટ લાઇટના 6,279 કરોડ રૂપિયા તથા સાર્વજનિક સેવાના 235 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Maharashtra Rain Updates 2026 મહારાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ચોમાસું ફરી સક્રિય થતાં ધોધમાર વરસાદની આગાહી; આગામી ૨૪ કલાક માટે આ ૧૨ જિલ્લાઓમાં એલર્ટ!
Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Exit mobile version