ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે.
આ વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ બિન-કૃષિ, સ્વાયત્ત યુનિવર્સિટીઓ, ટેકનિકલ કોલેજો અને સંલગ્ન કૉલેજોના વર્ગો 15 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે આ સમયગાળા દરમિયાન શિક્ષણ ઓનલાઈન ચાલુ રહેશે.
આ તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત 13 ઓક્ટોબર, 2021ના રોજ, રાજ્ય સરકારે કોલેજોને ઑફલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
