News Continuous Bureau | Mumbai
Project Suvita Maharashtra મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘સૌ માટે આરોગ્ય’ના સંકલ્પને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગે માતા અને બાળ આરોગ્ય સેવાઓમાં ડિજિટલ માધ્યમથી મોટી પ્રગતિ સાધી છે. મુખ્યમંત્રીની પહેલ અને સંકલ્પનાથી શરૂ કરાયેલા “પ્રૉજેક્ટ સુવિતા” અંતર્ગત ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી પૂર્ણ થઈ છે.
આ ઉપરાંત, આ કાર્યક્રમમાં ૪૦ લાખ ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે રાજ્યમાં કુલ ૯૪ લાખ લાભાર્થીઓ સુધી આ ઉપક્રમ પહોંચ્યો છે, જે તેને વિશ્વના સૌથી મોટા રાજ્ય-નિયંત્રિત આરોગ્ય સંચાર કાર્યક્રમોમાંથી એક બનાવે છે. મહારાષ્ટ્ર રસીકરણ માટે SMS રિમાઇન્ડર કાર્યક્રમમાં દેશમાં અગ્રણી રાજ્ય બન્યું છે.
રાજ્ય સરકારે જુલાઈ ૨૦૨૧થી નોન-પ્રોફિટ સંસ્થા ડેવલપમેન્ટ કન્સોર્ટિયમ પ્રૉજેક્ટ સુવિતા ના સહયોગથી એક અનોખો SMS રિમાઇન્ડર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય બાળકોનું સમયસર રસીકરણ અને ગર્ભવતી મહિલાઓ માટે માતૃ આરોગ્ય સેવાઓમાં વધારો કરવાનો છે. આ યોજના હેઠળ વ્યક્તિગત અને સમયસર SMS સંદેશા મોકલવામાં આવે છે. દરેક સંદેશમાં રસીનું નામ, તે કયા રોગોથી રક્ષણ આપે છે તેની માહિતી અને નજીકના આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા માટે સ્પષ્ટ અપીલ સામેલ હોય છે.
આ ઉપક્રમ લાભાર્થીઓને આરોગ્ય સંબંધી નિર્ણયો લેવા માટે સક્રિયપણે પ્રોત્સાહિત કરે છે. વૈશ્વિક સ્તરે સંશોધનો દર્શાવે છે કે SMS રિમાઇન્ડરના કારણે રસીકરણ ન કરાવનાર બાળકોની ટકાવારીમાં લગભગ ૧૫ ટકાનો ઘટાડો થાય છે. મહારાષ્ટ્રમાં પણ ‘સુવિતા’ પ્રોજેક્ટના સર્વેક્ષણમાં આ જ તારણો જોવા મળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
મહારાષ્ટ્રમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ ના તારણો સૂચવે છે કે આ SMS રિમાઇન્ડર કાર્યક્રમ અત્યંત અસરકારક રહ્યો છે. વાલીઓના પ્રતિસાદ મુજબ, સર્વેક્ષણમાં સમાવિષ્ટ ૧,૧૯૨ વાલીઓમાંથી ૭૦% વાલીઓએ SMS મળ્યાનું યાદ રાખ્યું હતું, જ્યારે ૪૮% વાલીઓએ સંદેશનો વિષય (રસીકરણ અથવા માતૃ આરોગ્ય) યોગ્ય રીતે ઓળખ્યો હતો. આ ઉપરાંત, ૪૦% વાલીઓએ આ સંદેશને અત્યંત ઉપયોગી ગણાવ્યો હતો. આશા કાર્યકર્તાઓના પ્રતિસાદ પર નજર કરીએ તો, ૯૦ આશા કાર્યકર્તાઓમાંથી ૬૧% એ સ્વીકાર્યું હતું કે SMSને કારણે લાભાર્થીઓને એકઠા કરવામાં સરળતા પડી છે, અને ૩૬% એ નોંધ્યું હતું કે કેટલાક વાલીઓ માત્ર SMS મળવાથી જ આરોગ્ય કેન્દ્રમાં આવ્યા હતા.
