Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડનો મોટો નિર્ણય; આ રીતે થશે દસમાના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્રના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે આજે દસમા ધોરણના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન વિશે જાહેરાત કરી છે. આ વિગતો જાહેર કરવામ માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “શાળાઓ દ્વારા લેવામાં આવેલી ધોરણ 9 અને 10ની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવશે.”

આ અંતર્ગત લેખિત પરીક્ષામાં 30 ગુણ, ગૃહકાર્ય અને પ્રોજેક્ટના 20 ગુણ અને બાકીના 50 ગુણ વિદ્યાર્થીએ  નવમા ધોરણમાં મેળવેલા ગુણ પર આધારિત હશે. જૂન મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવાની અપેક્ષા ગાયકવાડે દર્શાવી હતી. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ન હોય તેમને કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે

ઉપરાંત કૉલેજમાં ઍડ્મિશન માટે કૉલેજ એન્ટરન્સ ટેસ્ટ (સીઈટી)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ પરીક્ષામાં 10 ધોરણના પાઠ્યક્રમ આધારિત સવાલો પુછાશે. આ પરીક્ષા ૧૦૦ માર્કની હશે, જેમાં મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન (MCQ) જ પૂછવામાં આવશે.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version