Site icon News Continuous Bureau | Mumbai

Santosh Dhuri: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: સંતોષ ધુરી મનસેને કહેશે ‘જય મહારાષ્ટ્ર’? ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઠાકરેની ચિંતા વધી

મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા જ મનસેમાં ગાબડું; નિતેશ રાણેએ મુલાકાત લીધા બાદ સંતોષ ધુરીએ બગાવતી તેવર બતાવ્યા.

Santosh Dhuri મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત સં

Santosh Dhuri મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત સં

News Continuous Bureau | Mumbai

Santosh Dhuri  મહારાષ્ટ્રમાં અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે મુંબઈમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને (MNS) મોટો ફટકો પડવાની શક્યતા છે. મનસેના વરિષ્ઠ અને આક્રમક નેતા ગણાતા સંતોષ ધુરીએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેઓ ટૂંક સમયમાં ભાજપમાં (BJP) જોડાય તેવી પ્રબળ શક્યતા છે. આ સમાચારથી મનસે છાવણીમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે ધુરી રાજ ઠાકરેના અત્યંત વિશ્વાસુ નેતાઓમાંથી એક માનવામાં આવતા હતા.

Join Our WhatsApp Channel

“મનસેમાં મારી કદર ન થઈ” – સંતોષ ધુરીનો પક્ષ પર પ્રહાર

મંગળવારે સવારે માધ્યમો સાથે વાત કરતા સંતોષ ધુરીએ પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “મનસેમાં મારી કદર કરવામાં આવી નથી. મને ચૂંટણીની ટિકિટ નથી મળી એટલે હું નારાજ છું એવું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં મારી અવગણના થઈ રહી હતી.” તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે છેલ્લા બે દિવસમાં તેમણે ભાજપમાં જવાનો નિર્ણય લીધો છે અને આજે બપોરે તેઓ પોતાની આગામી રાજકીય દિશા સત્તાવાર રીતે જાહેર કરશે.

નિતેશ રાણે સાથેની નિકટતા અને ભાજપ પ્રવેશના સંકેત

સંતોષ ધુરીએ ભાજપના નેતા નિતેશ રાણેના વખાણ કરતા જણાવ્યું કે, રાણે હંમેશા તેમના સંપર્કમાં રહેતા હતા. તેમણે કહ્યું, “નિતેશ રાણે કોંકણના મોટા નેતા છે અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે તેમણે મને મદદ કરી છે. ગઈકાલે સાંજે તેઓ ખાસ મારા માટે સિંધુદુર્ગથી મુંબઈ આવ્યા, એ વાત મારા માટે મહત્વની છે.” નિતેશ રાણેની આ મુલાકાત બાદ સંતોષ ધુરીનો ભાજપમાં પ્રવેશ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Yavatmal: જન્મ-મરણના દાખલાનું મહાકૌભાંડ: આખું ગામ ૧૩૦૦નું અને સર્ટિફિકેટ ૨૭,૦૦૦ ફાટ્યા! બિહારના ૨૦ વર્ષીય યુવકે સિસ્ટમ સાથે કરી રમત

રાજ ઠાકરે અને સંદીપ દેશપાંડે પર શું બોલ્યા?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે આ અંગે રાજ ઠાકરે સાથે વાત કરી છે, ત્યારે તેમણે નકારમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પક્ષના કોઈ નેતાએ તેમનો સંપર્ક કર્યો નથી. મનસે નેતા સંદીપ દેશપાંડે વિશે તેમણે કહ્યું કે, “સંદીપ મને મિત્રની જેમ મળ્યા હતા, જો તેઓ આગળ પણ મિત્રતા રાખશે તો અમારી મૈત્રી કાયમ રહેશે, પણ મારો રાજકીય નિર્ણય મેં કોઈની પણ સાથે ચર્ચા કર્યા વગર લીધો છે.” મનસેના આક્રમક ચહેરા ગણાતા ધુરીની એક્ઝિટ મુંબઈ પાલિકા ચૂંટણીમાં મનસે માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Yemen’s Threat ઈરાન બાદ હવે યમનની ધમકી હોર્મુઝ જ નહીં, આ રૂટ પણ બંધ કરીશું; ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે!
Exit mobile version