Site icon News Continuous Bureau | Mumbai

Manipur crisis: મણિપુરમાં રાજકીય ઉથલપાથલ, લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન; ચર્ચાનું બજાર ગરમ..

Manipur crisis: રવિવારે, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. દરમિયાન, મણિપુરમાં નવી સરકારની રચના અંગે વિવિધ રાજકીય પક્ષો વચ્ચે વાતચીતની શક્યતાઓ પર વિચાર કરવામાં આવશે. ખાસ કરીને, NPP, JDU અને અન્ય નાના પક્ષોને જોડીને સરકાર બનાવવાની શક્યતાઓ પર ચર્ચા થઈ રહી છે. જો આગામી થોડા દિવસોમાં નવી સરકાર નહીં બને તો કેન્દ્ર સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.

Manipur crisis President's rule in Manipur What is it and how it affect state functions

Manipur crisis President's rule in Manipur What is it and how it affect state functions

News Continuous Bureau | Mumbai

Manipur crisis: મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસા વચ્ચે રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. સીએમ એન બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. હિંસાને લઈને બિરેન સિંહ પર રાજકીય દબાણ સતત વધી રહ્યું હતું. વિધાનસભાના બજેટ સત્રમાં વિપક્ષ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હતો, પરંતુ તે પહેલા જ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું.  દરમિયાન અહેવાલ છે કે હવે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.

Join Our WhatsApp Channel

Manipur crisis: મણિપુરમાં  લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન

મીડિયા રિપોર્ટ અનુસાર, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. રાજ્યમાં નવી સરકારની શક્યતાઓ શોધવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. જો સરકાર ન બને તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. જોકે, નવી સરકાર રચાય ત્યાં સુધી એન બિરેન્દ્ર સિંહ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો : મણિપુરમાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં જ સીએમ બિરેનસિંહનું રાજીનામું

Manipur crisis: વિધાનસભા સ્થગિત કરવાની ભલામણ

ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે એન બિરેન સિંહે રાજ્યપાલને વિધાનસભા સ્થગિત કરવાની ભલામણ કરી છે. જો ભાજપ 12 ફેબ્રુઆરી સુધીમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં નિષ્ફળ જાય અને પછી વિધાનસભા સત્ર બોલાવવામાં નિષ્ફળ જાય, તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની શક્યતા છે. જો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો રાજ્ય પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ રહેશે.

Manipur crisis: મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 258 લોકોએ જીવ ગુમાવ્યા 

જણાવી દઈએ કે મણિપુરમાં 3 મે 2023ના રોજ વંશીય હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી, ઘણી ઘટનાઓ બની છે, જેમાં નવેમ્બર 2024 સુધીમાં 258 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે બિરેન સિંહની સરકાર આ હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ છે, તેથી તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

 

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version