Manipur Violence : મણિપુરમાં હિંસા, રોકેટ હુમલા બાદ હવે ફાયરિંગ; ઓછામાં ઓછા આટલા લોકોના થયા મૃત્યુ..

Manipur Violence : બિષ્ણુપુરમાં રોકેટ હુમલા બાદ હિંસામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધી શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ જ્યારે ઊંઘતો હતો ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી, જ્યારે પછીના ગોળીબારમાં ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.

Manipur Violence Manipur sees fresh violence, day after bomb attack in Bishnupur district

Manipur Violence Manipur sees fresh violence, day after bomb attack in Bishnupur district

News Continuous Bureau | Mumbai

Manipur Violence : મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી ચાલી રહેલો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.  આજે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ જીરીબામ જિલ્લામાં આજે સવારે થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધી શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ જ્યારે સૂતો હતો ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે પછીના ગોળીબારમાં ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.

Join Our WhatsApp Community

Manipur Violence :  સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળીબાર

અધિકારીના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ પાંચ કિલોમીટર દૂર એકાંત સ્થળે એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને ગોળી મારી દીધી હતી. હત્યા પછી, જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિલોમીટર દૂર પહાડીઓમાં લડતા સમુદાયોના સશસ્ત્ર માણસો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ પહાડી આતંકવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા.

મળતી માહિતી મુજબ, ફાયરિંગમાં માર્યા ગયેલા લોકો કુકી અને મેઇતેઈ બંને સમુદાયના હતા. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ છેલ્લા પાંચ દિવસમાં તણાવ ઘણો વધી ગયો છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુરમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય 2 મણિપુર રાઈફલ્સ અને 7 મણિપુર રાઈફલ્સના હેડક્વાર્ટરમાંથી હથિયારો લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Manipur Violence :  હિંસામાં પ્રથમ વખત રોકેટ હુમલો 

મહત્વનું છે કે છેલ્લા 17 મહિનાથી ચાલી રહેલી હિંસામાં પ્રથમ વખત રોકેટ હુમલો પણ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કુકી આતંકવાદીઓએ લાંબા અંતરનું રોકેટ પણ છોડ્યું હતું. આ રોકેટની લંબાઈ લગભગ ચાર ફૂટ હોવાનું કહેવાય છે. હિંસાને જોતા પ્રશાસને શનિવારે રાજ્યભરની શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 3 મેથી મણિપુર જાતિ હિંસાનો શિકાર છે. અધિકારીઓનું કહેવું છે કે એવું પણ શક્ય છે કે એક લાંબી પાઇપમાં દારૂગોળો ભરીને રોકેટ લોન્ચરની મદદથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
Exit mobile version