Site icon News Continuous Bureau | Mumbai

Manohar Joshi : મહારાષ્ટ્ર ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા નું નિધન, મહારાષ્ટ્રમાં શોક…

Manohar Joshi : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમને હિન્દુજા હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે 3.02 કલાકે અવસાન થયું હતું.

Manohar Joshi Former Maharashtra CM Manohar Joshi dies at 86

Manohar Joshi Former Maharashtra CM Manohar Joshi dies at 86

News Continuous Bureau | Mumbai 

Manohar Joshi  : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશી ( Manohar Joshi ) નું શુક્રવારે નિધન થયું છે. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં શુક્રવારે સવારે લગભગ 3 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા. કાર્ડિયાક અરેસ્ટ ( Cardiac Arrest ) બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીને બુધવારે પીડી હિન્દુજા હોસ્પિટલ ( Hinduja Hospital )ના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ખાનગી મેડિકલ ફેસિલિટીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Join Our WhatsApp Channel

અંતિમ સંસ્કાર કરવામાં આવશે

તેમના પાર્થિવ દેહને સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે માટુંગા રૂપારેલ કોલેજ પાસેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. બપોરે 2 વાગ્યા પછી દાદર સ્મશાનભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોકસભાના પૂર્વ અધ્યક્ષ જોશીને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી. શિવસેનાના દિગ્ગજ નેતાઓમાંના એક 86 વર્ષીય જોશીને ગયા વર્ષે મે મહિનામાં મગજનો હુમલો આવતા આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 ગયા વર્ષે મે મહિનામાં બ્રેઈન હેમરેજ થયું હતું

આ પહેલા ગુરુવારે હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું કે જોશી (86) ગંભીર રીતે બીમાર છે. શિવસેનાના દિગ્ગજ નેતાને બ્રેઈન હેમરેજ થતાં ગયા વર્ષે મે મહિનામાં આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિવસેના-યુબીટી નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરે મનોહર જોશીની ખબર પૂછવા હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

મનોહર જોશી રાજકારણમાં સક્રિય નહોતા

તમને જણાવી દઈએ કે પૂર્વ સીએમ મનોહર જોશી છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં સક્રિય નહોતા. મનોહર જોશીની રાજકીય કારકિર્દી ઘણી લાંબી હતી. સીએમ ઉપરાંત, તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર, મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, સંસદસભ્ય, કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પણ હતા.

1995 થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા

શિવસેનાના દિગ્ગજ નેતાઓમાંના એક મનોહર જોશીને ગયા વર્ષે મે મહિનામાં મગજનો હુમલો થતાં આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોશી 1995 થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા અને અવિભાજિત શિવસેનામાંથી રાજ્યના મુખ્ય પ્રધાન બનનારા પ્રથમ નેતા હતા. તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે અને વાજપેયી સરકારમાં લોકસભાના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. 2002 થી 2004 સુધી કેન્દ્રમાં.

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version