Site icon News Continuous Bureau | Mumbai

Maratha Reservation: મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેએ ફરી શિંદે સરકારને આપી ધમકી.. હવે આ તારીખથી ચાલુ કરશે ભૂખ હડતાળ.. જાણો વિગતે..

Maratha Reservation: મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે સોમવારે મહારાષ્ટ્ર ફરી સરકારને ધમકી આપી છે કે જો સરકાર ગયા મહિને જારી કરાયેલ નોટિફિકેશનમાં ઉલ્લેખિત લોહીના સંબંધીઓ શબ્દની સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ જશે તો મનોજ જરાંગે ફરી ભૂખહડતાલ પર ઉતરશે.

Maratha Reservation In Maharashtra, Manoj Jarange again threatened the Shinde government.. Now he will start hunger strike from this date

Maratha Reservation In Maharashtra, Manoj Jarange again threatened the Shinde government.. Now he will start hunger strike from this date

 News Continuous Bureau | Mumbai

Maratha Reservation: મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની અનામતની માંગ પર અડગ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે ( Manoj Jarange Patil ) શિંદે સરકારને નવી ધમકી આપી છે. પાટીલે મિડીયા સાથે વાત કરતા કહ્યું છે કે જો સરકાર ગયા મહિને જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ઉલ્લેખિત ‘બ્લડ રિલેશન’ ના અવકાશને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ જશે તો તેઓ 10 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ ( hunger strike ) શરૂ કરશે. સરકારે કહ્યું હતું કે જો કોઈ મરાઠા વ્યક્તિ સાથે લોહીના સંબંધ ધરાવનાર વ્યક્તિ પાસે એવો રેકોર્ડ હશે કે તે કુણબી સમુદાયનો છે. તો તેને પણ કુણબી તરીકે ઓળખવામાં આવશે. રાજ્યમાં ( Maharashtra Government ) અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરીમાં મરાઠા સમુદાયને ( Maratha community ) સમાવવાની માગણી માટે મનોજ જરાંગે પાટીલ બે વખત ભૂખ હડતાળ પર ગયા છે અને એક વખત મુંબઈ સુધી કૂચ કરી ચૂક્યા છે. જરંગે પાટીલની આ ધમકી એવા સમયે આવી છે. જ્યારે રાજ્યમાં સરકારના નિર્ણયના કારણે ઓબીસી વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મરાઠા નેતાએ વધુમાં કહ્યું હતું કે, “સરકાર અને વિપક્ષી જૂથોના મુઠ્ઠીભર 10-20 અસંતુષ્ટ લોકોએ મારી વિરુદ્ધ બોલવાનું અને સોશિયલ મીડિયા પર મારા પર ટીકાઓ કરવાનું કામ હાથમાં લીધું છે. તેઓ મારી ઈર્ષ્યા કરે છે અને મારાથી નારાજ છે, આ લડાઈ મરાઠાઓ માટે છે, પરંતુ જો તેઓ તેમના કાર્યોથી દૂર નહીં રહે તો હું તેમના પક્ષો અને નેતાઓ સાથે તેમના નામનો પર્દાફાશ કરીશ.

આ સમાચાર પણ વાંચો :  King Charles III : બ્રિટનના મહારાજા ચાર્લ્સ III ને થયું કેન્સર, બકિંગહામ પેલેસે બહાર પાડ્યું નિવેદન; આપી આ જાણકારી

 એ હકીકતને પચાવી શકતા નથી કે ગરીબ પરિવારનો એક વ્યક્તિ આટલા મોટા સમુદાયના આરક્ષણ માટે લડી રહ્યો છેઃ પાટીલ..

જરાંગે પાટીલે કહ્યું હતું કે, “તેઓ મને મરાઠા આરક્ષણમાંથી હટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી મારા મરાઠા ભાઈઓ મને કહે નહીં કે તેઓ શ્રેય લેવા માંગે છે અને નવી વિચારધારાઓને અપનવવા માંગે છે. ત્યાં સુધી હું મારી આ લડતથી પીછે હટ નહીં કરીશ.” તેમણે મરાઠાઓના હિતને નષ્ટ કરવા પર કેટલાક અસંતુષ્ટ લોકોની ટીકા પણ કરી. તેમણે કહ્યું કે મુઠ્ઠીભર લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ગરીબ પરિવારનો એક વ્યક્તિ આટલા મોટા સમુદાયના આરક્ષણ માટે લડી રહ્યો છે. તેઓ ચિંતિત છે કે જો હું ભાંગી નહીં પડું અને આંદોલન પર અંકુશ નહીં આવે તો તેઓ મરાઠાઓમાં ( Marathas ) તેમની પ્રતિષ્ઠા ગુમાવી બેસસે.

શિવબા સંગઠનના ( Shivba organization ) નેતાએ વધુમાં કહ્યું, “હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો હંમેશા મરાઠા આરક્ષણની વાત કરે છે. તેથી સમુદાયના હિતમાં, હું 10 ફેબ્રુઆરીથી ફરી ભૂખ હડતાળ પર આગળ વધીશ.” આ સાથે, હરીફ ઓબીસી જૂથોએ પણ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી છે.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version