Site icon News Continuous Bureau | Mumbai

Maratha Reservation: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ મુદ્દે ફરી એકવાર હિંસા ફાટી નીકળી, વિરોધીઓએ NCP ધારાસભ્યના ઘરમાં ઘુસી તોડફોડ કરી આગ ચાંપી.. જુઓ વિડીયો

Maratha Reservation: મહારાષ્ટ્રમાં હવે મરાઠા આરક્ષણનો મુદ્દો ફરી ગરમાયો છે. હવે ધારાસભ્યો પણ તેની પકડમાંથી બચી શક્યા નથી. મરાઠા આરક્ષણ આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. જ્યારે આંદોલનકારીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે ધારાસભ્ય ઘરે હાજર હતા.

Maratha Reservation NCP MLA Prakash Solanke's house set on fire in Maharashtra's Beed

Maratha Reservation NCP MLA Prakash Solanke's house set on fire in Maharashtra's Beed

News Continuous Bureau | Mumbai

Maratha Reservation: મહારાષ્ટ્રમાં ( Maharashtra ) મરાઠા આરક્ષણ મુદ્દે ફરી એકવાર હિંસા ફાટી નીકળતી જોવા મળી રહી છે. અહીં બીડ જિલ્લામાં, વિરોધીઓએ અજિત પવાર ( Ajit Pawar ) જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ( Prakash Solanke ) ઘરની તોડફોડ કરી અને પછી તેને આગ ( fire ) લગાવી દીધી. મનોજ જરાંગે પાટીલ ( Manoj Jarange Patil ) વિશે પ્રકાશ સોલંકેના નિવેદનથી મરાઠા વિરોધીઓ ( Maratha opponents ) આક્રમક બન્યા હતા અને તેના વિરોધમાં મરાઠા વિરોધીઓએ પ્રકાશ સોલંકેના ઘર પર પથ્થરમારો ( Stone pelting ) કર્યો હતો.

Join Our WhatsApp Channel

જૂઓ વિડીયો

પ્રકાશ સોલંકેના ઘર પર પથ્થરમારો

સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. એક મરાઠા પ્રદર્શનકારીએ અજિત પવારના ધારાસભ્ય પ્રકાશ સોલંકેને ફોન કર્યો અને મરાઠા આરક્ષણને લઈને ચર્ચા શરૂ કરી. આ જ ઓડિયો ક્લિપમાં બોલતા ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે પાટીલને લઈને નિવેદન આપ્યું હતું. આક્રમક દેખાવકારોએ વિરોધમાં પ્રકાશ સોલંકેના બંગલા પર લગભગ દોઢ કલાક સુધી પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં વિરોધીઓએ ધારાસભ્યના બંગલાના પરિસરમાં સ્થિત કાર પણ સળગાવી દીધી હતી. પ્રકાશ સોલંકેના બંગલામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. તે સમયે ધારાસભ્ય પ્રકાશ સોલંકે ગૃહમાં હાજર હતા.

આ સમાચાર પણ વાંચો : INDIA Alliance: INDIA એલાયન્સ નામના વિવાદ પર ચૂંટણી પંચે હાથ કર્યા ઊંચા, દિલ્હી હાઇકોર્ટમાં આપ્યો આ જવાબ..

મરાઠા આરક્ષણ ખોટી દિશામાં જઈ રહ્યું છેઃ સીએમ શિંદે

દરમિયાન સીએમ એકનાથ શિંદેએ આ ઘટનાની નિંદા કરી છે. એનસીપી વિધાનસભ્ય પ્રકાશ સોલંકેના બીડના નિવાસસ્થાન પર થયેલા હુમલા અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે આ ઘટના પર ધ્યાન આપવું જોઈએ કે વિરોધ કયો વળાંક લઈ રહ્યો છે. આ વિરોધ હવે ખોટી દિશામાં જઈ રહ્યો છે.

Shiv Sena Symbol Dispute પક્ષ સંગઠન મોટું કે ધારાસભ્યોની બહુમતી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથે ઉઠાવ્યા ગંભીર સવાલ, રજૂ કરી ત્રણ મુખ્ય દલીલો
Shiv Sena Symbol Legal Dispute Supreme Court અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક નિર્ણય આપવાની તૈયારીમાં! જાણો કોર્ટમાં શું થયું
JPSC JSSC Exam Row Jharkhand Bandh પેપર લીક અને પોલીસ દમન સામે મહાસંગ્રામ ઝારખંડ બંધના એલાનથી રાજકારણ ગરમાયું, વિદ્યાર્થીઓને ભાજપનું સમર્થન
Rahul Gandhi JMM Government ઈન્ડિયા ગઠબંધનમાં જ ખટરાગ? ઝારખંડ સરકાર સામે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ..
Exit mobile version