Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ગ્રહણ, ગુજરાતમાં વધતા કેસ વચ્ચે આ જિલ્લામાં સ્થિત બહુચરાજી મંદિર વધુ આટલા દિવસ બંધ રહેશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

સોમવાર.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. રાજ્યના મોટા ભાગના મંદિરો ધીરે ધીરે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. કારણ કે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે.

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યના મોટા ભાગના મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરને પણ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલા મહેસાણા જિલ્લામાં આવેલુ યાત્રાધામ બહુચરાજી મંદિર ૧૭ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. છ દિવસ સુધી મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા, હવે વધુ એક સપ્તાહ માટે બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદી અને ભાજપને લઈને કહી દીધી આટલી મોટી વાત; જાણો વિગત

MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Uniform Civil Code મહારાષ્ટ્ર માં સમાન નાગરિક કાયદાની તારીખ નક્કી! સમિતિની રચના, જાણો કોણ છે અધ્યક્ષ?
Exit mobile version