Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ગ્રહણ, ગુજરાતમાં વધતા કેસ વચ્ચે આ જિલ્લામાં સ્થિત બહુચરાજી મંદિર વધુ આટલા દિવસ બંધ રહેશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

સોમવાર.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે અને સૌથી વધુ સંક્રમણ રાજ્યના મંદિરોમાં ફેલાવાની શક્યતા હોય છે. રાજ્યના મોટા ભાગના મંદિરો ધીરે ધીરે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી રહ્યા છે. કારણ કે રાજ્યના મોટા મંદિરોમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે.

કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યના મોટા ભાગના મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં હવે મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરને પણ ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પહેલા મહેસાણા જિલ્લામાં આવેલુ યાત્રાધામ બહુચરાજી મંદિર ૧૭ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. છ દિવસ સુધી મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા, હવે વધુ એક સપ્તાહ માટે બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદી અને ભાજપને લઈને કહી દીધી આટલી મોટી વાત; જાણો વિગત

TMC Plea Disqualification MPs ૨૦ બાગી સાંસદો સામે કાર્યવાહી કેમ નહીં? ટીએમસી પહોંચી સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી
Maharashtra PUC fee hike મહારાષ્ટ્રમાં પીયુસી સર્ટિફિકેટ મોંઘું ટુવ્હીલર, થ્રીવ્હીલર અને કારના નવા ટેસ્ટિંગ ચાર્જિસ જાહેર..
Vande Bharat Western Ghats video જન્નત જેવું દ્રશ્ય! પશ્ચિમ ઘાટના ધુમ્મસભર્યા પર્વતોમાંથી પસાર થતી  વંદે ભારત ટ્રેનનો અદભુત વીડિયો વાયરલ, રૂંવાડા ઊભા થઈ જશે
Rahul Gandhi kiss from student પુણેમાં યોજાયેલા યુવા આઉટરીચ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીને સ્ટેજ છોડતી વખતે એક વિદ્યાર્થીગણ તરફથી અણધારી આશ્ચર્યજનક ભેટ મળી
Exit mobile version