Site icon

MNS અધ્યક્ષ રાજ ઠાકરેને જાનથી મારવાની ધમકી? મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને કરી ફરિયાદ.. જાણો વિગતે.

Maharashtra Politics: Will the Lok Sabha-Vidhan Sabha Election alone or with a coalition?; Raj Thackeray presented his role clearly.

Maharashtra Politics: Will the Lok Sabha-Vidhan Sabha Election alone or with a coalition?; Raj Thackeray presented his role clearly.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(Raj thackeray) મસ્જિદ પરના ભૂંગળા હટાવવાની માગણી સાથે કરેલા આંદોલને રાજ્યમાં વાતાવરણ ડહોળ્યું છે. MNS નેતા બાલા નંદગાંવકર(Bala Nandgaonkar) રાજ્યના ગૃહમંત્રી(State home minister) દિલીપ વાલ્સે પાટિલ(Dilip Walse Patil)ને મળ્યા હતા અને તેમણે મુસ્લિમ સંગઠનો તરફથી રાજ ઠાકરે(Raj Thackeray)ને જાનથી મારવાની ધમકી મળી હોવાની ફરિયાદ કરી હોવાની મીડિયામાં અહેવાલ વહેતા થયા છે. 

Join Our WhatsApp Community

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ MNSએ દાવો કર્યો છે કે રાજ ઠાકરે, બાલા નંદગાંવકર સહિત  અન્ય નેતાઓને મસ્જિદમાં લાગેલા લાઉડસ્પીકરનો(Loudspeaker) વિરોધ કરવા બદલ મુસ્લિમ સંગઠનો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે નંદગાંવકર આ ધમકીઓ વિશે માહિતી આપવા માટે ગૃહ પ્રધાનને મળ્યા હતા. જો કે હજુ સુધી MNS તરફથી કોઈ સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો :  એક બોટલ કી કિંમત તુમ ક્યા જાનો ? ગોવામાં અમિત શાહ માટે 850 રૂપિયાનું મિનરલ વોટર આવ્યું.. જાણો વિગતે.

જોકે મિડિયામાં બાળા નાંદગાવકરે(Bala Nandgaonkar) એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે કે રાજ ઠાકરેને ધમકીભર્યો પત્ર આવ્યો છે પણ તે કોણે લખ્યો છે તે લખવામાં આવ્યું નથી.

દરમિયાન, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રાજ ઠાકરે દ્વારા મુખ્ય પ્રધાનને લખેલા પત્રની પૃષ્ઠભૂમિ પર બાલા નંદગાંવકરે ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલને મળ્યા હતા કારણ કે રાજ ઠાકરે પોતાના પત્રમાં રાજ્ય સરકાર પર MNS કાર્યકર્તાઓ પર બદલો લેવાનો આરોપ લગાવ્યો હતો. 
 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version