Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે

News Continuous Bureau | Mumbai

ગુજરાતી અને મારવાડી સમાજને(Gujarati and Marwari society) કારણે મુંબઈ(mumbai) દેશનું આર્થિક પાટનગર(Financial capital) બન્યું હોવાનો મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગત સિંહ કોશ્યારીના(Bhagat Singh Koshyari) નિવેદનની રાજ્યમાં કોંગ્રેસ(Congress) બાદ હવે MNSએ પણ ટીકા કરી છે. MNSના નેતાઓ(MNS Leader) ભડકી ગયા છે અને ‘જે વિશે કંઈ ભાન પડતી ના હોય તે વિશે બોલવાનું બંધ કરો’ એવી ટીકા પણ નેતાઓએ કરી હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

રાજ્યપાલે મહારાષ્ટ્રનું અપમાન કર્યું હોવાનું કહીને વિપક્ષ(Opposition Party) આક્રમક બન્યો છે ત્યારે હવે MNSએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. MNS નેતા ગજાનન કાળેએ(Gajanan Kale) ટ્વીટ કરીને રાજ્યપાલના નિવેદનની નિંદા કરી હતી. પહેલા સાવિત્રી માઈનું(Savitri Mai) અપમાન થતું હોય અને હવે મહારાષ્ટ્રનું અપમાન થતું હોય તો પદનું કોઈ માન નથી. ગજાનન કાળેએ કહ્યું છે કે રાજ્યપાલે પોતાને જે વિષયની  જાણ ન હોય તેમાં પોતાનું મોઢું મારવું નહીં. 

આ સમાચાર પણ વાંચો : મંત્રી મંડળ બનતા પહેલાં જ શિંદે સરકારને વાંકુ પડ્યું- ગર્વનરની વિરુદ્ધમાં કેન્દ્રને પત્ર લખવામાં આવશે

અગાઉ સાવિત્રીમાઈ વિશે અને હવે મરાઠી(Marathi) અને મહારાષ્ટ્ર વિશે વાહિયાત નિવેદનો કર્યા છે. આ પાર્સલને ઉત્તરાખંડ(Uttarakhand) પરત મોકલવાનો સમય આવી ગયો છે. આ સહન કરવામાં આવશે નહીં. જો મરાઠી, મહારાષ્ટ્રની સભ્યતા(Maharashtra Culture) અને સંસ્કૃતિનું અપમાન થશે તો રાજ્યપાલના પદનું સન્માન અને ગરિમા નાશ પામશે એવી ટીકા પણ ગજાનન કાલેએ કરી છે. 

આ વિષય પર MNS પ્રવક્તા સંદીપ દેશપાંડેએ(Sandeep Deshpande) કહ્યું કે જે લોકો આર્થિક પ્રગતિને પ્રગતિ માને છે તેઓ બૌદ્ધિક રીતે નાદાર છે. મરાઠી લોકોના બલિદાનથી મુંબઈ અને મહારાષ્ટ્ર બન્યા છે. મરાઠી લોકોએ બીજાને ફાયદો કરાવ્યો છે. રાજ્યમાં અગાઉની સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિઓને કારણે મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્યોગો આવ્યા, તેથી મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં વધુ આગળ વધ્યું છે. મહારાષ્ટ્ર ક્યારેય અપમાન સહન નહીં કરે. તેમને જે ન સમજાય તે વિશે તેણે ખોટી જગ્યાએ વાત ન કરવી જોઈએ અને જે ન જોઈતી હોય તેમાં પોતાનું નાક ઠોકવું જોઈએ નહીં.
 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version