Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરેની મનસે પાર્ટીએ ઠાકરે સરકાર બાદ હવે મહારાષ્ટ્ર પોલીસને આપી ધમકી, કહ્યું- ‘જો મસ્જિદોપરથી ભૂંગળા નહીં હટાવવામાં આવે તો અમે…’

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker row) અટકવાનું નામ નથી લઈ રહ્યો.

સરકાર બાદ હવે રાજ ઠાકરેની(Raj thackeray) પાર્ટી મનસેએ(MNS) પોલીસને મસ્જિદોપરથી(Mosques)  લાઉડસ્પીકર હટાવવાની ધમકી આપી છે. 

એટલું જ નહીં, પાર્ટીએ સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશને ટાંકીને પુણે પોલીસ કમિશનરને(Pune police commissioner) પત્ર પણ મોકલ્યો છે.

પત્રમાં કહેવાયું છે કે, મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારીને તેને જમીન પર મૂકો. 

મૌલાનાઓ(Maulana) પાસે સહમતી પત્ર લો. નહીં તો મનસે પોલીસ સ્ટેશનની સામે હનુમાન ચાલીસા(Hanuman chalisa) વાંચીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રાજ ઠાકરેએ ઠાકરે સરકારને(Thackeray govt) અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  જેલમાંથી બહાર આવ્યા બાદ MP નવનીત રાણાની તબિયતમાં કોઈ સુધારો નહીં, ડોક્ટરોએ સાંસદનું કરાવ્યું MRI સ્કેન.. જુઓ તસવીરો, જાણો વિગતે 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version